મોરબીમાં મહેન્દ્રપરા મેઇન રોડ ઉપર જર્જરિત મકાન ધડાકાભેર તૂટી પડ્યું હતું જેમાં એક રાહદારી મહિલાનું કાટમાળમાં દબાઈ જતાં મોત
મોરબીમાં જર્જરિત મકાન ધસી પડતા એકનું મોત
મકાનનો કાટમાળ પડતા રાહદારી મહિલાનું મોત
શહેરમા જર્જરિત મકાનો પ્રત્યે તંત્રની ઉદાસીનતા
મોરબીમાં જર્જરિત મકાનો ઉતરાવવા કે નોટીસ આપવાની પ્રક્રિયાઓ લાંબા સમયથી બંધ થઇ ગઈ હોવાના કારણે કેટલાક ભય જનક મકાનો ધડાકા ભેર તૂટી પડવાની ભીતિ સેવાઈ રહી છે. આવી જ એક ઘટનામાં મહેન્દ્રપરા મેઇન રોડ ઉપર જર્જરિત મકાન ધડાકાભેર તૂટી પડ્યું હતું જેમાં એક રાહદારી મહિલાનું કાટમાળમાં દબાઈ જતાં મોત થયું છે.
મોરબી નગરપાલિકાએ, કહેવાય છે કે, શહેરના જૂના અને જર્જરિત મકાનો પ્રત્યે સજગતા નહિ દાખવાતી હોવાનો પુરાવો સામે આવ્યો છે. અત્યાર સુધીમાં કેટલા મકાનોને નોટીસ ફાળવાઈ છે કેટલા મકાનો ખાલી કરાવાયા છે. અને સ્થિતિ શી છે ? તે અંગે કોઈ સર્વે નથી કર્યો. હજુ પણ મોરબીના કેટલાય વિસ્તારોમાં જૂના અને જર્જરિત મકાનો મોત બનીને ઉભા છે.
મોરબીના મહેન્દ્રપરા મેઇન રોડ ઉપર જર્જરિત મકાન ધડાકાભેર તૂટી પડ્યું હતું. જેમાં એક રાહદારી મહિલા જીજ્ઞાસા બહેન જીવાણી ( 45 ) થઇ રહી હતી.ત્યારે, મકાન તૂટી પડતા આખો કાટમાળ મહિલા પર ધસી આવતા તે દબાઈ ગઈ હતી અને તેનું મોત નીપજ્યું હતું. જ્યારે બે મહિલાઓ નીલમ બહેન જીવાણી અને યુવતી રૂકસાના જીવાણી ઈજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે .