ખેડામાં કોરોના અને મ્યુકરમાઇકોસીસ વચ્ચે વધુ એક રોગને લઇ દહેશત જોવા મળી છે.
કોરોના અને મ્યુકર બાદ નવો રોગ
નડીયાદમાં એક વ્યક્તિને એનાફીલેક્સિસ થયો
10 લાખમાં એક વ્યક્તિને થાય છે આ રોગ
લાખો વ્યક્તિએ 10 વ્યક્તિ થતો એનાફિલઇકસીસ રોગ નડિયાદમાં એક વ્યક્તિને થતા લોકોમાં ડર છે. નડિયાદમાં રહેતા 49 વર્ષિય પુરૂષને એલર્જીના કારણે શ્વાસ લેવામાં સમસ્યા સર્જાઈ હતી.
ઓક્સિજન લેવલ એકાએક ઘટ્યું
મળતી વિગત પ્રમાણે, દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી જતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તપાસમાં તેમની શ્વાસ નળી સંકોચાઈ ગઈ હોવાનું ડોક્ટરે જણાવ્યુ હતુ. ઓક્સિજન લેવલમાં બહુ મોટો ઘટાડો થતા દર્દીને ખેંચો પણ આવવા લાગી હતી.
દર્દીની શ્વાસ નળી સંકોચાઈ
હોસ્પિટલમાં ડોક્ટર સુપ્રિત પ્રભુ અન્ય ઈમરજન્સી કામ માટે આવ્યા હતા, પરંતુ આ દર્દીને શ્વાસની તકલીફ જોતા તાત્કાલિક તપાસ કરતા નળી સંકોચાઈ ગઈ હોવાનું જણાયુ હતુ. જેથી તેઓ દર્દીને ઓપરેશન રૂમમાં લઈ ગયા હતા. જ્યાં હજુ તો મિનિટ જ થતી હતી અને દર્દીનું ઓક્સિજન લેવલ 30 સુધી પહોંચી ગયુ હતુ. પરંતુ ડોક્ટરે તાત્કાલિક દર્દીનું ઓપરેશન શરૂ કર્યુ હતુ.
ઓપરેશનમાં ગળાના ભાગે બાયપાસ કરી ટ્યુબ મૂકી ઓક્સિજન પહોંચાડવાનું શરૂ કરી ઓક્સિજન આપતા નવુ જીવન મળ્યુ હતુ. ત્યારે આ અંગે ડો.સુપ્રિત પ્રભૂએ કહ્યું કે નડિયાદના આ દર્દીને એનાફિલેક્સિસ થયો હતો.
કેવી રીતે થઈ શકે આ બીમારી ?
આ એલર્જી ખાવાના લીધે પણ થઈ શકે, મધમાખી કરડે તો પણ થઈ શકે, ઈન્જેક્શનથી પણ થઈ શકે. તેના લક્ષણો દેખાતા દર્દીને તરત જ સોજો આવી જાય છે.
તાત્કાલિક સારવાર ન મળે તો દર્દીનું મિનિટોમાં થઈ શકે છે મોત
ગણતરીની મિનિટમાં દર્દીનું ઓક્સિજન ઘટી જાય છે અને તાત્કાલિક સારવાર ન મળે તો મિનિટોમાં જ દર્દીનું મૃત્યુ પણ સંભવ છે. નડિયાદના દર્દીને કોઈ ખાદ્યવસ્તુ કે અન્ય કારણોસર આ લક્ષણો સર્જાતા તેમનું ઓપરેશન કરી ઓક્સિજન પાઈપ અંદર ઉતારી શ્વાસ પહોંચાડી જીવ બચાવી લેવાયો છે.