આ બધા વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સૂત્રો તરફથી સમાચાર આવ્યા છે કે ટીમ મેનેજમેન્ટ હજુ પણ બુમરાહને લઈને આશા લગાવવીને બેઠી છે.
જસપ્રિત બુમરાહની T20 વર્લ્ડ કપમાં રમવાની આશા હજુ પણ અકબંધ
બૂમરાહની રાહ જોઈને બેઠી છે BCCI
રિપ્લેસમેન્ટનું એલાન કરવાની કોઈ ઉતાવળ નથી
ભારતીય ક્રિકેટ ટીમના ફેન્સ માટે એક મોટા સારા સમાચાર આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની T20 વર્લ્ડ કપમાં રમવાની આશા હજુ પણ અકબંધ છે. જણાવી દઈએ કે આ T20 વર્લ્ડ કપ બે અઠવાડિયા પછી ઓસ્ટ્રેલિયામાં યોજાવવાનું છે. આપણે બધા જાણીએ જ છીએ કે હાલ જ એક ખરાબ સમાચાર આવ્યા હતા કે જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. આ પહેલા પણ તે એશિયા કપમાંથી બહાર થયો હતો અને એ પછી ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં વાપસી કરી હતી પણ એ પછી દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝમાંથી અને તેની સાથે સાથે વર્લ્ડ કપમાંથી પણ બહાર થયાના સમાચાર આવ્યા હતા.
બૂમરાહની રાહ જોઈને બેઠી છે BCCI
પરંતુ આ બધા વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સૂત્રો તરફથી સમાચાર આવ્યા છે કે ટીમ મેનેજમેન્ટ હજુ પણ બુમરાહને લઈને આશા લગાવવીને બેઠી છે. ટીમ મેનેજમેન્ટ છેલ્લી ક્ષણ સુધી બૂમરાહની રાહ જોઈશે. જો આ સમય દરમિયાન બુમરાહ સ્વસ્થ થઈ જશે તો BCCI બુમરાહને વર્લ્ડ કપ માટે ટીમમાં શામેલ કરશે અને બુમરાહ વર્લ્ડ કપ રમશે.
બૂમરાહ માટે દરેક સંભવિત કોશિશ કરશે BCCI
બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે “બીસીસીઆઈ ટીમ મેનેજમેન્ટ છેલ્લી ક્ષણ સુધી રાહ જોશે કારણકે BCCI ઈચ્છે છે કે બુમરાહ T20 વર્લ્ડ કપમાં રમે. આ સાથે જ એમને મેડિકલ ટીમને બુમરાહનું NCA (નેશનલ ક્રિકેટ એકેડમી, બેંગ્લોર) માં ચેકઅપ અને તેની ઇજાનો મૂલ્યાંકન કરવા કહ્યું છે. બુમરાહને ફિટ કરાવવા માટે દરેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બીસીસીઆઈને એક ટકા પણ થવાની સંભાવના છે લાગે છે કે બુમરાહ ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપ રમી શકે છે.
રિપ્લેસમેન્ટનું એલાન કરવાની કોઈ ઉતાવળ નથી
સાથે જ એ સૂત્રએ જણાવ્યું હતું કે, 'મેડિકલ ટીમ લગાતાર ટેસ્ટ અને સ્કેન કરી રહી છે અને તેને કારણે બુમરાહ 5 ઓક્ટોબરે ટીમ સાથે નહીં પણ પછી આવશે. BCCI ઈચ્છે છે કે બુમરાહ ઓસ્ટ્રેલિયામાં હાજર રહે. આ સાથે મેડિકલ ટીમ પણ છેલ્લી ઘડી સુધી પ્રયત્ન કરવાની વાત કરી રહી છે.આ જ કારણ છે કે BCCI બુમરાહના રિપ્લેસમેન્ટની જાહેરાત કરવાની ઉતાવળ નથી કરી રહી.