અમદાવાદ શહેરમાં રુંવાડા ઉભી કરી દે તેવી ઘટના બની છે. ચાંદખેડા વિસ્તારમાં નવજાત બાળકની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી જવા ગઈ છે. હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
ચાંદખેડામાં નવજાત બાળકની હત્યા
મળતી માહિતી અનુસાર, શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટમાં હચમચાવી નાખે એવો બનાવ બન્યો છે. એપાર્ટમેન્ટના દસમા માળેથી નીચે ફેંકી નવજાત બાળકની હત્યા કરવામાં આવી છે. આ અંગેની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્કાય વોક એપાર્ટમેન્ટ ખાતે દોડી આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે વિગતવાર તપાસ શરૂ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સોસાયટીના શંકાસ્પદ લોકોનો DNA ટેસ્ટ કરાવવામાં આવી શકે છે. જેથી ખ્યાલ આવે કે આ બાળક કોનું છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાંદખેડાની સ્કાય વોક એપાર્ટમેન્ટના આ બનાવનો પોલીસ કંટ્રોલમાં મેસેજ મળતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે. તો ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્કાય વોક એપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યા છે. હાલ પોલીસે હત્યારા સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરી છે.