ભારત - પાકિસ્તાન વચ્ચે ગમે તેવા તણાવ ભરેલા સંબંધો હોય પણ હજું સુધી એક પરંપરા 28 વર્ષથી આ પરંપરા બદલાઈ નથી. એવી તો કઈ પરંપરા છે કે જે બદલાઈ નથી. ભારત અને પાક વચ્ચે આજે પણ એવો તો કયો વ્યવહાર ચાલું છે?
ભારત અન પાકિસ્તાનની વચ્ચે ખટરાગ પણ એક પરંપરા આજે પણ ચાલું છે
બન્ને દેશોની પાછળ 28 વર્ષથી આ પરંપરા ચાલતી આવી છે જે આ વર્ષે પણ યથાવત રહી
ભારત- પાકિસ્તાને પોતાની જેલોમાં બંધ કેદીઓની યાદી તથા પરમાણું સંસ્થાનોની યાદી એકબીજાને સોંપી છે
ભારત- પાકિસ્તાનમાં ગત વર્ષથી ચાલી રહેલો ખટરાગ આ વર્ષે પણ યથાવત રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ વર્ષનાં પહેલા દિવસે પડોશી દેશોનાં પ્રમુખો સાથે વાત કરી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. જોકે તેમણે પાકિસ્તાનનાં પીએમ ઈમરાન ખાન સાથે વાત કરી નહોતી. ભારત પાકિસ્તાનનાં આંતરરાષ્ટ્રિય રાજદ્નારી સંબંધોમાં આને ભારતનાં કડક વલણ તરીકે જોવામાં આવી રહ્યું છે. જો કે આ બધાની વચ્ચે આ બન્ને દેશો છેલ્લાં 28 વર્ષથી ચાલતી આવતી પરંપરાને આ વર્ષે પણ ચાલું રાખી છે.
28 વર્ષથી ચાલી આવતી પરંપરા યથાવત
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાનમાં 1 જાન્યુઆરી 1992થી સતત દરેક વર્ષે પહેલાં દિવસે રાજદ્વારી સંબંઘોનાં માધ્યમથી પોત પોતાની જેલોમાં બંધ કૈદીઓની યાદી અને પરમાણું સંસ્થાનો વિશે જાણકારી આપતા રહ્યાં છે. જે આ વર્ષે પણ જાહેર કરી છે. બન્ને દેશો વચ્ચે છેલ્લાં કેટલાંક સમયથી ખટરાગ ચાલી રહ્યો છે ત્યારે બન્ને દેશોએ પોતા પોતાનાં પરમાણું સંસ્થાનોની યાદી એક બીજાને સોંપી છે.
આ વર્ષે પણ બન્ને દેશોએ કેદીઓની યાદી એક બીજાને સોંપી છે
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારતે પોતાની જેલમાં રહેલા 267 પાકિસ્તાની અસૈન્ય કેદિઓ અને 99 માછીમારોની યાદી પાકિસ્તાનીઓને સોંપી છે. બીજી તરફ પાકિસ્તાને પોતાની જેલમાં બંધ 282 ભારતીય કેદીઓની એક યાદી ભારતીય ઉચ્ચાયોગને સોંપી છે. જેમાં 55 અસૈન્ય નાગરિક અને 227 માછીમારોનો સમાવેશ થયો છે. આ યાદીઓની 2008નાં એક સમજૂતીનાં નિયમ હેઠળ આપ- લે કરવામાં આવે છે. ભારત સરકારે ભારતીય અસૈન્ય કેદીઓ, ગુમ ભારતીય રક્ષા કર્મીઓ અને માછીમારોને ઝડપથી મુક્ત કરી તેમને સ્વદેશ પાછા મોકલવા માટે અપીલ કરી છે. વિદેશી મંત્રાલયે કહ્યું છે કે આ પરિપ્રેક્ષ્યમાં પાકિસ્તાનથી 4 ભારતીય અસૈન્ય કેદીઓ અને 126 ભારતીય માછીમારીને કે જેમની રાષ્ટ્રીયતાની ખાતરી થઈ ગઈ છે તેમને ઝડપી મુક્તિ કરવા પાકિસ્તાને જાણ કરવામાં આવી છે.
ભારતની પાકિસ્તાનથી અપીલ
આ ઉપરાંત ભારતીય અસૈન્ય કેદી સમજવામાં આવી રહેલાં 14 લોકો અને પાકિસ્તાની કેદમાં રહેલા 100 ભારતીય માછીમારોને ઝડપથી પોંચ આપવાનું પાકિસ્તાનને કહેવામાં આવ્યું છે. ભારત સરકારે પાકિસ્તાનને મેડિકલ વિશેષજ્ઞ ટીમનાં સભ્યોને વિઝા આપવાની કામગીરી ઝડપી કરી ભારતીય ગણવામાં આવી રહેલા માનસિક રુપે અશક્ત કેદીઓની માનસિક હાલતનું નિદાન કરવા માટે ટ્રાવેલિંગમાં મદદ કરવા અપીલ કરી છે. ભારતે પાકિસ્તાનથી સંયુક્ત ન્યાયિક સમિતિનાં ઝડપી પ્રવાસનું આયોજન તથા માછી મારી માટે વપરાતી 22 ભારતીય નૌકાઓને છોડવા તથા તેમની વાપસી માટે 4 સભ્યોની એક ટીમની કરાચીથી ઝડપી પ્રવાસ માટે પણ કહ્યું છે. ભારતે પાકિસ્તાનથી 82 પાકિસ્તાની કેદીઓની રાષ્ટ્રીયતાની પુષ્ટિ માટે તેમની તરફથી કામગીરી ઝડપી કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.