વડોદરામાં ધર્માંતરણ અને હવાલા રેકટમાં UK મજલિસ-એ-અલફ્લાહ ટ્રસ્ટના અબ્દુલ્લાહ ફેંકડાવાલાનું નામનો ઘટસ્ફોટ થયો છે
હવાલાકાંડમાં વધુ એકનું નામ આવ્યું સામે
UKથી ચાલતુ હતું રેકેટ, SITની તપાસમાં થયો ખુલાસો
ભરૂચના નબીપુરનો અબ્દુલા UKથી ચલાવતો હતો રેકેટ
વડોદરામાં ધર્માંતરણ અને હવાલા રેકટમાં વધુ એક નામ સામે આવ્યું છે. હવાલાકાંડમાં UK મજલિસ-એ-અલફ્લાહ ટ્રસ્ટના અબ્દુલ્લાહ ફેંકડાવાલાનું નામનો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ભરૂચના નબીરપુરનો અબ્દુલા UKથી આખું રેકેટ ચલાવતો હતો. મહત્વનું છે કે મુસ્તફા દુબઈથી મુંબઈ રૂપિયા મોકલતો હતો આ રૂપિયા મુંબઈથી હવાલા મારફતે વડોદરા આવતા હતા.
UKથી ચાલતુ હતું રેકેટ, SITની તપાસમાં થયો ખુલાસો
જો કે આ રેકેલ UKથી ચલાવાતું હોવાનું SITની તપાસમાં સામે આવ્યું છે જે બાદ દુઈથી મુંબઈ અને મુંબઈથી વડોદરામાં ફંડના રૂપિયા મોકલવામાં આવતા, સમગ્ર કેસની તપાસ કરતી SITની ટીમ હવાલાકાંડની તપાસ માટે મુંબઈ પણ જશે, મહત્વનું છે કે હવાલાના પૈસા જમ્મુ કાશ્મીરમાં પણ મોકલાતું હોવાનું ખુલ્યું છે, વડોદરાથી અબ્દુલ્લાના ઈશારે વિદેશની આ ફંડ ડાયવર્ટ કરાતું હતું. આ ફંડનો ઉપયોગ ધર્માંતરણ, સરાકર વિરોધ આંદોલનો કે તોફાનોમાં સંડોવાયેલા લોકોને છોડાવવા કરાયો હોવાનું પણ મનાઈ રહ્યું છે જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચના નબીપુરનો અબ્દુલા UKથી ચલાવતો હતો રેકેટ
ધર્માંતરણ અને ફંડિંગના મામલામાં વડોદરા પોલીસની એસઆઇટીની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે, સલાઉદ્દીનને દુબઇથી હવાલા દ્વારા મળેલા કરોડો રૂપિયા મૂળ નબીપુરના પણ હાલ યુકેમાં રહેતા અબદુલ્લા ફેફડાવાળાએ દુબઇથી મુસ્તુફા શેખ દ્વારા મોકલ્યા હતા, ભરૂચના નબીપુરનો અબ્દુલા UKથી રેકેટ ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
જો કે પોલીસે સલાઉદ્દીનના ખાસ સાગરીત મનાતા મહમદ હુસેન ગુલામરસૂલ મનસુરીની ધરપકડ કરી 5 દિવસા રિમાન્ડ પણ મેળવ્યા હતા, જે બાદ તેને જેલમાં ધકેલી દેવાયો છે. પોલીસે સલાઉદ્દીનના ખાસ સાગરીત મહમદ હુસેન ગુલામરસૂલ મનસુરીની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને હાલ તેને જેલમાં ધકેલાયો છે. હાલ જો તો સમગ્ર મામલે પોલીસ આગળની તપાસ કરી રહી છે અને આગામી દિવસોમાં મોટો ઘટસ્ફોટ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
ઉત્તર પ્રદેશમાં ધર્માન્તરણ કેસનો મામલો
ઉત્તર પ્રદેશમાં ધર્માન્તરણ કેસમાં વડોદરાના સલાઉદીન સેખની ધરપકડ કરવામા આવી હતી સલાઉદીન સેખની યુપી એટીએસે ધરપકડ કરી હતી મહત્વનું છે કે સલાઉદીન વિદેશથી નાણા મેળવતો હતો અને દિલ્હીના CAA એક્ટ વિરુદ્ધના તોફાનોમા સંડોવાયેલા લોકોને મદદ કરતો હતો આ નાણાં આરોપી છોડાવવા અને મસ્જિદો બાંધવા મોકલ્યા હોવાનું પણ તપાસમાં ખુલ્યું હતું સમગ્ર મામલે વડોદરા પોલિસ કમિશ્નરે સીટની રચના કરી છે જેમના દ્વારા સલાઉદીનો સાગરીત હુસેન મન્સુરી પકડાયો હતો તેજમ યુપીમાં 1000 લોકોનું ધર્માન્તરણ કરાવ્યું હોવાનું પણ બહાર આવ્યું છે.