શાકમાર્કેટમાં 253 જેટલા 10 x10 ના ઓટલા બનાવવામાં આવશે મોટો શેડ, ખાતમુહૂર્ત સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું
રાજપીપળામાં શાકમાર્કેટનું ખાતમુહૂર્ત
મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત
2.5 કરોડના ખર્ચે બનશે શાકમાર્કેટ
નર્મદા જિલ્લાના રાજપીપલા શહેરમાં વર્ષો જૂનું શાકમાર્કેટ રાજપીપળાના મુખ્ય માર્કેટ વચ્ચે આવેલું છે. સાંકડી ગલીઓ અને માંડ 15 થી 20 જેટલા વેપારીઓ વેચાણ કરે એટલા ઓટલા છે. બીજા વેપારીઓએ નીચે બેસી ધંધો કરતા હતા. હવે પહેલા કરતા વેપારીઓ પણ વધ્યા અને વસ્તી વધારો પણ થયો જેને કારણે ટ્રાફિક જામ વધુ રહેતો આ સાથે અનેક સમસ્યા સ્થાનિક વેપારીઓ અને શાકભાજી ખરીદી કરતા ગ્રાહકોને પણ તકલીફ પડતી હતી. જેને કારણે લોક માંગને ન્યાય આપી પાલિકા પ્રમુખ અને તેમની ટીમ દ્વારા આ આ જુના શાકમાર્કેટ ને ખસેડી ગાર્ડન ના પાછળના ભાગે મોટી જમીન પાલિકાની વણવપરાયેલી પડી રહી હતી
નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આવેલા શાકમાર્કેટમાં અવાર-નવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ છે. જેને કારણે નગરપાલિકા દ્વારા જુના શાકમાર્કેટને ખસેડી ગાર્ડનના પાછળના ભાગે અંદાજે 2.5 કરોડના હસ્તે નવું અદ્યતન શાકમાર્કેટ બનાવવામાં આવશે. જેનું ખાતમુહૂર્ત સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ નવા શાકમાર્કેટમાં 253 જેટલા 10 x10ના ઓટલા બનાવવામાં આવશે. સાથે શાકમાર્કેટમાં ત્રણ બાજુથી અવર-જવર થઇ શકશે. ઉપરાંત શાકમાર્કેટમાં CCTV કેમેરા પણ ગોઠવવામાં આવશે. ત્રણ બાજુથી અવરજવર રહેશે.