કોરોના વાયરસના કોહરામની વચ્ચે એક રાહત આપનારી ખબર આવી છે. કોરોના વાયરસથી સંક્રમિત પાંચ ગંભીર દર્દીઓનો ઈલાજ લોહીથી કરવામાં આવ્યો છે. આ લોહી એ દર્દીઓનું હતું જે પહેલાં કોરોના વાયરસથી સંક્રમિત હતાં. ઈલાજની આ રીતને ચીનની હૉસ્પિટલમાં અપનાવાયો છે. ત્રણ દર્દીઓને હોસ્પિટલ્સથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. 2 હજુ પણ હોસ્પિટલમાં છે પરંતુ પહેલાં કરતા તેમની સ્થિતિ બહેતર છે.
જૂના દર્દીઓના લોહીથી નવા દર્દીઓના ઈલાજ કરવાની ટૅકનિક
જે 5 દર્દીઓનો ઈલાજ જૂના દર્દીઓના લોહીથી કરાયો હતો તેઓ 36થી 73 વર્ષના વચ્ચેના હતાં
આ ટૅકનિકમાં ખરેખર ફાયદો થતો દેખાઈ રહ્યો છે અને આ ટૅકનિક ભરોસાપાત્ર પણ
આ દર્દીઓના ઈલાજ કરનાર ડૉક્ટરનું માનવું છે કે કોરોના થયેલા દર્દીઓના લોહી દ્વારા ટ્રીટમેન્ટની આ રીતમાં કોરોનાના ઘણાં દર્દીઓને ઠીક કરી શકાય છે. આ ખબર ડેઈલીમેલ વેબસાઈટ પર પ્રકાશિત થઈ છે.
ચીનના ધ શૅનઝેન થર્ડ પીપલ્સ હૉસ્પિટલે પોતાના ઈલાજની આ રીતનો રિપોર્ટ 27 માર્ચના રોજ પ્રકાશિત કર્યો હતો. હૉસ્પિટલ મેનેજમેન્ટે જણાવ્યું કે જે 5 દર્દીઓનો ઈલાજ જૂના દર્દીઓના લોહીથી કરાયો હતો તેઓ 36થી 73 વર્ષના વચ્ચેના હતાં.
Hope for coronavirus sufferers as five critically ill patients are saved in the space of 12 days https://t.co/Ck8fzjRkG5
વૈજ્ઞાનિકો જૂના દર્દીઓના લોહીથી નવા દર્દીઓના ઈલાજ કરવાની આ ટૅકનિકને કૉવેલેસેન્ટ પ્લાઝ્મા કહે છે. જેનાથી કેટલીય બીમારીઓને ઠીક કરાઈ છે. આ નવા દર્દીઓના લોહીમાં જૂના ઠીક થઈ ગયેલા દર્દીનું લોહી નાંખવાથી પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે.
આ ટૅકનિકમાં લોહીની અંદર વાયરસથી લડવા માટે ઍન્ટીબૉડી બની જાય છે. આ ઍન્ટીબોડી વાયરસથી લડીને તેમને અંદર જ મારી દે છે અથવા તો દબાવી દે છે. શૅનઝૅન થર્ડ હોસ્પિટલમાં સંક્રમિત બીમારીઓના અભ્યાસ માટે નેશનલ ક્લિનિકલ રિસર્ચ સૅન્ટર પણ છે.
લગભગ 12 દિવસ પહેલાની વાત છે જ્યારે આ હૉસ્પિટલમાં હાજર પાંચેય દર્દીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતાં. જેમાં ત્રણ પુરુષ અને બે મહિલાઓ હતી. શૅનઝૅન હોસ્પિટલના ડોક્ટર્સે આ ટૅકનિક તેમના પર અજમાવી હતી.
હૉસ્પિટલનું કહેવું છે કે અમે 30 જાન્યુઆરીથી જ કોરોનાથી ઠીક થયેલા દર્દીઓને શોધવાના શરૂ કરી દીધાં હતાં. તેમનું લોહી લઈને તેમાંથી પ્લાઝ્મા નીકાળીને સ્ટોર કરી લીધું હતું. જ્યારે નવા દર્દીઓ આવ્યા તો તેમને પ્લાઝ્માનો ડોઝ આપવામાં આવ્યો. હોસ્પિટલનું માનવું છે કે તેમને આશા છે કે આ બેઝિક ટૅકનોલોજીનો ઉપયોગ પૂરી દુનિયા કરી શકે છે. આ ટૅકનિકમાં ખરેખર ફાયદો થતો દેખાઈ રહ્યો છે અને આ ટૅકનિક ભરોસાપાત્ર પણ છે.
WHOના હૅલ્થ ઈમરજન્સી પ્રોગ્રામના ચીફ ડૉ. માઈક રિયાને ચીનની હોસ્પિટલ દ્વારા લોહીથી ઈલાજ કરવાની આ ટૅકનિકને સારી ગણાવી હતી. તેમણે કહ્યું આ સમય અનુસાર યોગ્ય પગલું છે. તેમણે કહ્યું કે કોરોનાને હરાવવા માટે આનાથી બહેતર વિકલ્પ હાલ કોઈ નથી. આ રીતને વિકસિત કરીને આપણે દર્દીઓને ઠીક કરી શકીએ છીએ. જેનાથી નવા દર્દીઓમાં રોગપ્રતિકારક ક્ષમતા વધે છે અને કોરોનાને હરાવવાની તાકાત પણ.