પુરાતત્વવિદોના અનુસાર આ સ્થળે પૂજાઘર અથવા પ્રાર્થનાનું સ્થળ રહ્યું હશે. તેનો ઉપયોગ કોઈ દૈનિક કામ માટે કરવામાં આવતો નહીં હોય. બ્રિટનમાં માત્ર એક જ નહીં પરંતુ આવી અનેક જગ્યાઓ છે.
બ્રિટનમાં ખોદકામ દરમિયાન પ્રાચીન મંદિર અથવા પ્રાર્થના સ્થળના અવશેષો મળ્યા
આ મંદિરના અવશેષો 4 હજાર વર્ષ જૂના હોય શકે છે
આ સ્થળે કાંસ્ય યુગ અને રોમન સભ્યતા સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ મળી આવી
પુરાતત્ત્વવિદોની રિસર્ચ ટીમને ઈંગ્લેન્ડના નોર્થમ્પ્ટન નજીક એક પ્રાચીન સ્થળ પર જે મળ્યું તેને જોઈને બધા જ દંગ રહી ગયા છે. પુરાતત્વવિદોની ટીમને ખોદકામ દરમિયાન આ સ્થળે પ્રાચીન મંદિર અથવા પ્રાર્થના સ્થળના અવશેષો મળ્યા છે. આ અવશેષો પ્રાચીન સભ્યતા સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ મંદિરના અવશેષો 4 હજાર વર્ષ જૂના હોય શકે છે. પુરાતત્વવિદોનું કહેવું છે કે આ સ્થળ ઈતિહાસની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને અહીં બીજી ઘણી મોટી શોધો થઈ શકે છે.
મ્યૂઝિયમ ઓફ લંડન આર્કિયોલોજીના પુરાતત્વવિદોની ટીમ નોર્થમ્પટન નજીક ઓવરસ્ટોનની આ સાીટ પર ખોદકામ કરી રહી છે. ખાસ વાત એ છે કે જે જગ્યાએ ખોદકામ ચાલી રહ્યું છે ત્યાં હાઉસિંગ ડેવલપમેન્ટ કરવામાં આવશે. આ સ્થળ ઈતિહાસ સાથે જોડાયેલું છે તેથી અગાઉના સંશોધકો ખોદકામ કરી રહ્યા છે.
એક્સપર્ટનું માનવું છે કે આ જગ્યાનો 2 હજાર વર્ષથી વધુ સમય ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી આ સ્થળે કાંસ્ય યુગ અને રોમન સભ્યતા સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ મળી આવી છે.
પૂજાઘર અથવા પ્રાર્થના સ્થળ જેવું કંઈક હશે
હવે પુરાતત્વવિદોની ટીમને રોમન સભ્યતા સાથે સંબંધિત એક પ્રાચીન ઢાંચો મળી આવ્યો છે. આ ઢાંચા અંગે એક્સપર્ટ કહે છે કે અહીં બે રૂમ હોવા જોઈએ. એક રૂમમાંથી સીડી પણ ઉપરના માળે જતી હશે.
પુરાતત્વવિદોના અનુસાર આ સ્થળે પૂજાઘર અથવા પ્રાર્થનાનું સ્થળ રહ્યું હશે. તેનો ઉપયોગ કોઈ દૈનિક કામ માટે કરવામાં આવતો નહીં હોય. બ્રિટનમાં માત્ર એક જ નહીં પરંતુ આવી અનેક જગ્યાઓ છે, જ્યાં રોમન સામ્રાજ્ય દરમિયાન મંદિરો બનાવવામાં આવ્યા છે.
મ્યૂઝિયમ ઓફ લંડન આર્કિયોલોજીએ કહ્યું કે આ સ્થળ પર તેમનું કામ ચાલુ રહેશે. પુરાતત્વવિદોનું માનવું છે કે સ્થળની નજીક આવેલા ધોધને કારણે વધુ મહત્વની વસ્તુઓ શોધી શકાય છે.
બ્રિટનમાં આ સ્થળ પર આ સૌથી જૂની શોધ હતી
એક્સપર્ટના મુજબ આ પ્રાચીન સ્થળમાંથી સૌથી જૂની શોધ એક સમાધિસ્તૂપની હતી, જેનું નિર્માણ 1500 થી 2000 ઈસા પૂર્વની વચ્ચે થઈ હશે. આ સમાધિસ્તૂપ પર પુરાતત્વવિદોની ટીમને કાંસ્ય યુગ સાથે જોડાયેલા પાંચ અંત્યેષ્ટિ કલશ પણ મળ્યા છે. જો કે, હજુ સુધી સ્થળ પર કોઈ માનવ કબર કે અવશેષો મળ્યા નથી.
મ્યૂઝિયમ ઑફ લંડન આર્કિયોલોજીના પુરાતત્વવિદ સિમોન માર્કસએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે,પ્રાચીન સમયમાં સ્થાનિક સમુદાયો માટે આ સ્થળનું ખૂબ મહત્વ રહ્યું હશે. સમાધિસ્તૂપની નીચે કોઈ માનવ અવશેષો ન હોવાનો અર્થ એ થઈ શકે છે કે લોકો આ સ્થાન પર રહેતા નહી હોય, પરંતુ તેનો ઉપયોગ પૂજા સ્થળ અથવા પ્રાર્થના સ્થળ જેવી વસ્તુઓ માટે કરવામાં આવતો હશે.