ન્યૂઝીલેન્ડ સરકારે મંગળવારે નોર્થ આઇલેન્ડ પર ચક્રવાત ગેબ્રિયલના કારણે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. ન્યૂઝીલેન્ડના ઈતિહાસમાં ત્રીજી વખત રાષ્ટ્રીય ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે.
ન્યૂઝીલેન્ડમાં ચક્રવાત ગેબ્રિયલનો કહેર
નેશનલ ઇમર્જન્સી જાહેર, ૪૦,૦૦૦થી વધુ ઘરમાં અંધકાર
ન્યૂઝીલેન્ડના ઇતિહાસમાં ત્રીજી વખત ઇમર્જન્સી જાહેર કરાઈ
ન્યૂઝીલેન્ડ સરકારે મંગળવારે નોર્થ આઇલેન્ડ પર ચક્રવાત ગેબ્રિયલના કારણે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. ન્યૂઝીલેન્ડના ઈતિહાસમાં ત્રીજી વખત રાષ્ટ્રીય ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે. ૨૦૧૯માં ક્રાઈસ્ટચર્ચ આતંકી હુમલા પછી અને ૨૦૨૦માં કોવિડ રોગચાળા દરમિયાન નેશનલ ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી. સ્થાનીય સમયાનુસાર બપોરે 3 વાગ્યે વાવાઝોડું ગેબ્રિયલ દેશનાં ઉતરી દ્વીપથી કિનારાનાં વિસ્તારની નજીક ઑકલેંડથી 160 કિ.મી દૂરી પર આવ્યું હતું. આ વાવાઝોડું ઉત્તરપૂર્વિય વિસ્તારમાં આગળ વધી શકે છે.
ન્યૂઝીલેન્ડના નોર્થ આઇલેન્ડમાં ભારે પૂર અને ભૂસ્ખલન થયું
ચક્રવાત ‘ગેબ્રિયલ’ના કારણે ન્યૂઝીલેન્ડના નોર્થ આઇલેન્ડમાં ભારે પૂર અને ભૂસ્ખલન થયું છે તેમજ દરિયાઈ મોજાં પણ ઊછળી રહ્યાં છે. ન્યૂઝીલેન્ડમાં ભારે વરસાદ અને પવનના કારણે ૪૦,૦૦૦થી વધુ ઘરમાં વીજળી ગુલ થઈ ગઈ છે અને સેંકડો ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
Satellite + detected heat show large forest fires burning in Queensland, Australia 🔥 Smoke is drifting east over Brisbane this morning.
મોટા ભાગ પર ખરાબ અસર
ભારે વરસાદ અને જોરદાર પવનના કારણે હજારો ઘર વીજ પુરવઠા વિહોણા થયા બાદ ઈમર્જન્સી મેનેજમેન્ટ મિનિસ્ટર કિરન મેકેનલ્ટીએ આ જાહેરાત પર હસ્તાક્ષર કર્યા હતા. મેકેનલ્ટીએ જણાવ્યું હતું કે આ એક એવી ઘટના છે, જે ઉત્તર ટાપુના મોટા ભાગ પર ખરાબ અસર કરી રહી છે. ન્યૂઝીલેન્ડના લોકોના જીવન માટે ખતરો
પૂરનાં પાણી અને ભૂસ્ખલનના કારણે દેશભરમાં ઘણી વસાહતો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. જેમાં દેશના સૌથી મોટા શહેર ઓકલેન્ડની નજીકની કેટલીક વસાહતોનો સમાવેશ થાય છે. મેકેનલ્ટીએ કહ્યું કે આ એક મોટી દુર્ઘટના છે, જે ન્યૂઝીલેન્ડના લોકોના જીવન માટે ખતરો છે. તેમણે જણાવ્યું હતું કે મંગળવારે વધુ વરસાદ અને તીવ્ર પવનની અપેક્ષા છે, જે કટોકટીની સેવાઓના પ્રયત્નને અવરોધે છે. આપણે બધાં વ્યાપક પૂર, માટી ધસવી, ક્ષતિગ્રસ્ત રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સામનો કરી રહ્યાં છીએ.