સાંઈબાબા કોઈ કાલ્પનિક પાત્ર નથી તેમણે ઘરતી પર જન્મ લીધો હતો. સામાન્ય લોકોની વચ્ચે રહ્યા અને માનવતાનો પાઠ ભણાવીને જેવી રીતે ધરતી પર આવ્યા હતા તેમ જ પાછા જતા રહ્યા. પરંતુ તેમણે આપેલી શિક્ષા અને તેમનું જીવન આજે પણ ભક્તોને નવી રાહ બતાવી રહ્યું છે.
આજે ભારતમાં જ નહીં દુનિયાના ખુણે-ખુણે સાંઈ મંદિર છે જેમાં સાંઈ બાબાની પૂજા કરવામાં આવે છે. ભક્ત શિરડીના સંત સાઈબાબાને ગુરુ માને છે. આથી ગુરુવારે સાંઈ મંદિરોમાં તેમની ઘણી શ્રદ્ધા સાથે પૂજા કરવામાં આવે છે.
ઘણીવાર બધા મંદિરોમાં સાંઈબાબાની છબીવાળી આરસપહાણની મૂર્તિ જોવા મળે છે. કહેવાય છે કે આ આસનવાળી મૂર્તિનું નિર્માણ સૌથી પહેલા શિરડીમાં થયું હતું જ્યાં સાંઈની સમાધિ છે.
કહેવાય છે કે સાંઈએ પોતાના ભક્તોના દુઃખમાં સ્વયં આવે છે અને તેમની બધી તકલીફો દૂર કરી દે છે. પરંતુ શું તમે જાણો છો કે શિરડીના સાંઈ મંદિરમાં જે સાંઈ બાબાની પ્રતિમા છે તેની સાથે એક રહસ્ય છુપાયેલું છે. સાંઈબાબાની મહાસમાધિના સ્થળે તેમની તસવીર રાખીને પૂજા કરાતી હતી.
આ પહેલા વર્ષ 1954 સુધી આ પ્રકારને જ સાંઈ બાબાની પૂજા થતી હતી. પરંતુ એક દિવસે મંબઈના બંદરે ઈટલી માર્બલ આવ્યો પરંતુ તેને કોણે મોકલ્યો અને શા માટે મોકલ્યો તે આજ સુધી નથી જાણી શકાયું.
ઈટાલીથી આવેલા આ માર્બલને સાંઈ સંસ્થાને બાબાની મૂર્તિ બનાવવા માટે લઈ લીધો. સાંઈ બાબાની પ્રતિમા બનાવવાની જવાબદારી વસંત તાલીમ નામના મૂર્તિકારને સોંપવામાં આવ્યું. પરંતુ મૂર્તિકારે જ્યારે બાબાની મૂર્તિ બનાવવા બેઠો તો સાંઈ બાબાને પ્રાર્થના કરી તમે જેવા દેખાવ છો એવી જ રીતે હું તમારી મૂર્તિ બનાવી શકું. કહેવાય છે કે આ પછી સાંઈ બાબાએ ખૂદ તેને દર્શન આપ્યા અને તે બાદ સાંઈ બાબાની આ મનમોહક મૂર્તિ બની.
આ મૂર્તિના દર્શન માટે આજે પણ કરોડોની સંખ્યામાં ભક્તો શિરડીના દર્શન કરવા આવે છે અને બાબાની મૂર્તિ એવી દેખાય છે કે તેઓ સ્વયં આપણને જોઈ રહ્યા હોય.