રાજકોટમાં અંગત અદાવતમાં એક શખ્સની ગળું કાપીને નિર્મમ હત્યા કરી દેવાની ઘટના સામે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે
રાજકોટમાં હત્યાના બનાવથી લોકોમાં ભય
અંગત અદાવતમાં ગળુ કાપીને હત્યા કરી દેવાઈ
યુનિવર્સિટી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી
રાજ્યમાં ક્રાઈમ રેટ વધી રહ્યો છે તેવું લાગી રહ્યું છે અવાર નવાર હત્યા અને ચોરીના બનાવો સામે આવતા હોય છે ત્યારે રંગીલા શહેર રાજકોટમાં અંગત અદાવતમાં એક શખ્સની ગળું કાપીને નિર્મમ હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. જો કે હત્યા કયા કારણથી કરવામાં આવી તે અંગે કોઈ જાણકારી મળી નથી, બનાવની જાણ થતા જ રાજકોટ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
અંગત અદાવતમાં ગળુ કાપીને હત્યા કરી દેવાઈ
રાજકોટના પરા પીપળીયા પાસે સાધુ જેવા જણાતા શખ્સનું અજાણ્યા ઈસમોએ છરી વડે ગળું કાપીને હત્યા નિપજાવી દીધી છે, જેને લઈને સમગ્ર પંથકમાં ભય અને ડરનો માહોલ છવાઈ ગયો છે. શહેરમાં દિવસે દિવસે ક્રાઈમ રેટ વધી રહ્યો છે ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા, અગાઉ અપહરણ, ધમકી, દુષ્કર્મ જેવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે હત્યાના આ બનાવથી રાજકોટની છબી ખરડાઈ છે. બનાવની જાણ પોલીસને કરતા યુનિવર્સિટી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આરોપીઓનું પગેરું શોધવા ચક્રોગતિમાન કર્યા હતા.