રેસ્ક્યૂ ટીમે એક-એક કરી તમામના મૃતદેહો બહાર નિકાળતા ગામમાં શોકનો માહોલ
હિમાચલમાં વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. મંડી જિલ્લાના કાશન વિસ્તારમાં વરસાદના કારણે આવેલા પૂરને કારણે એક જ પરિવારના 8 લોકોના કરુણ મોત થયા હતા. પોલીસે તમામના મૃતદેહ કબજે કર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે પોલીસે તે ઘર તોડ્યું જ્યાં 8 લોકોના મોત થયા હતા, જ્યારે પોલીસે મૃતદેહને બહાર કાઢવા માટે તેને તોડ્યો ત્યારે તેમની આંખો ભીની થઈ ગઈ હતી. પલંગ પર મૃત હાલતમાં પડેલી માતાએ બાળકોને છાતી સાથે પકડી લીધા હતા. આ દ્રશ્ય જોઈને બધા રડવા લાગ્યા. જોકે પોલીસે લોકોને ત્યાં જતા અટકાવ્યા હતા.
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના કાશન પંચાયત પ્રમુખના પરિવારનું પહાડ નીચે દટાઈ જતાં મોત થયું છે. હાલ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. મૃતકોમાં ગામના વડા ખેમ સિંહ અને તેના નાના ભાઈનો પરિવાર છે. મળતી માહિતી મુજબ, ભારે વરસાદને કારણે તેના ઘર પર કાટમાળ પડ્યો હતો. જેના કારણે ઘરમાં હાજર 8 જીવો કાટમાળમાં જ દટાઈ ગયા હતા.
Mandi, Himachal Pradesh | 13 people have lost their lives while 6 went missing due to heavy rainfall in Mandi district, yesterday. Search operation to continue today with the help of NDRF to find those who went missing: Arindam Choudhary, Deputy Commissioner, Mandi
આ ઘટના શુક્રવારે રાત્રે 2 વાગ્યાની ઝડોન ગામની છે. તે સમયે ઘરમાં પ્રધાન ખેમ સિંહ, પત્ની, બાળકો, તેની ભાભી, ભાઈના બે બાળકો અને તેના સસરા હાજર હતા. કુદરતી હાહાકારે પલંગ પર સૂતેલા બાળકો સહિત 8 લોકોને એવા દબાવી દીધા કે તેમને વિચારવાનો મોકો પણ ન મળ્યો કે તેમની સાથે થયું તો શું થયું. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત સમયે પ્રધાન ખેમ સિંહના ભાઈ ઝાબે રામ સફરજનના કોન્ટ્રાક્ટ માટે કુલ્લુ ગયા હતા. જ્યારે તેના માતા-પિતા બકરીઓ લઈને સિરાજ વિસ્તારમાં ગયા હતા.
Himachal Pradesh: Death toll rises to 22 due to rain-triggered landslides, 6 people still missing
નોંધનીય છે કે, ઝડોન ગામમાં બનેલી આ ઘટનાનું ભયાનક દ્રશ્ય જોઈ સૌની આંખોમાં આંસુ આવી ગયા. વહીવટી સ્ટાફ કાટમાળ નીચે દટાયેલા મૃતદેહોને શોધવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યા લોકોની આંખો કાટમાળ નીચે દટાયેલા તમામ લોકો સુરક્ષિત બહાર આવી શકે તેની રાહ જોઈ રહી હતી. પણ ભગવાનને કંઈક બીજું જ મંજૂર હતું. સવારે 3 વાગ્યે શરૂ થયેલ બચાવ કાર્ય બપોરે 1 વાગ્યે સમાપ્ત થયા પછી, ખાટલા પર પડેલા મૃતદેહોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
સૌથી પહેલા પ્રધાન ખેમસિંહના ભાઈની પત્ની અને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારબાદ પ્રધાન અને તેની પત્નીના મૃતદેહ મળી આવ્યા હતા. આ પછી પ્રધાનના બે પુત્રો મળી આવ્યા હતા અને અંતે પ્રધાનના સસરાની લાશ કાટમાળમાં દટાયેલી મળી આવી હતી. 8 લોકોના મોત બાદ પરિવાર સાથે ગ્રામજનોની પણ હાલત કફોડી છે. મહત્વનું છે કે, જયરામ સરકારના કાર્યકાળ દરમ્યાન સયાંજથી અલગ થઈને કાશન પંચાયતની રચના કરવામાં આવી હતી. તેની પ્રથમ ચૂંટણી ખેમસિંહ દ્વારા લડવામાં આવી હતી અને તે કશાન પંચાયતના પ્રથમ વડા બન્યા હતા.