મધ્યપ્રદેશમાં હિન્દુ સંગઠનોએ ધર્મ પરિવર્તનના આરોપમાં એક શાળા પર હુમલો કર્યો હોવાના સમાચાર મળ્યા હતા. આ ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને શાળામાં તોડફોડ કરી હતી.
મધ્યપ્રદેશની શાળા પર હુમલો
હિન્દુ બાળકોના ધર્મ પરિવર્તનનો આરોપ
કોઈ ઇજાગ્રસ્ત નહીં
ધર્મ પરિવર્તનના આરોપમાં એક શાળા પર હુમલો
મંગળવારે વહેલી સવારે મધ્યપ્રદેશમાં હિન્દુ સંગઠનોએ ધર્મ પરિવર્તનના આરોપમાં એક શાળા પર હુમલો કર્યો હોવાના સમાચાર મળ્યા હતા. આ ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને શાળામાં તોડફોડ કરી હતી એવાં પણ સમાચાર મળી રહ્યા છે. આ ઘટના ત્યારે બની જ્યારે શાળામાં બાળકો CBSE 12માની બોર્ડની પરીક્ષા આપી રહ્યા હતા.
હુમલામાં કોઈને ઇજા નહીં
પોલીસે જણાવ્યું કે આ હુમલો વિદિશા જિલ્લાના ગંજ બાસોદામાં આવેલી સેન્ટ જોસેફ સ્કૂલમાં કરવામાં આવ્યો હતો. જોકે, આ હુમલામાં બાળકો અને શાળાના કર્મચારીઓને કોઈ ઈજા થઈ નથી, તમામ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
MP: A mob, that also included members of some Hindu organisations, vandalised St Joseph School in Ganj Basoda of Vidisha district y'day, claiming religious conversion of students at the school. The students were taking their class 12th CBSE board exam when the incident occurred. pic.twitter.com/b1L8TyMtO2
આઠ હિંદુ વિદ્યાર્થીઓનાં ધર્મ પરિવર્તનનો આરોપ
ઘટના બાદ સ્કૂલના મેનેજર એન્ટનીએ જણાવ્યું કે તેમની સ્કૂલ વિશે એક પત્ર ફરતો કરવામાં આવી રહ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે સેન્ટ જોસેફ સ્કૂલમાં આઠ હિંદુ વિદ્યાર્થીઓનું ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવવામાં આવ્યો હતો. જ્યારે, તે વિદ્યાર્થીઓ અમારી શાળાના નથી. તેમણે કહ્યું કે જે પત્ર પ્રસારિત થઈ રહ્યો છે તે 31 ઓક્ટોબર, રવિવારનો છે. રવિવારે શાળામાં કોઈ હોતું નથી. તેણે કહ્યું કે પત્ર જોયા બાદ મેં પોલીસને જાણ કરી હતી, આ પછી પણ સ્કૂલની સુરક્ષામાં માત્ર બે પોલીસકર્મી તૈનાત હતા.
Letter circulated in the name of our school that 8 Hindu students have been converted to Christianity. They're not our students. Letter is dated Oct 31, Sunday when no teacher/student comes. I had informed Police y'day, still, only 2 cops were here: Brother Antony, school manager pic.twitter.com/agCEpYOtNk
જ્યારે SDM રોશન રોયનું કહેવું છે કે શાળાની સુરક્ષા માટે પૂરતો પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો, પોલીસે ભીડને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, તેણે પથ્થરમારો કર્યો હતો. જો કે, આ ઘટનામાં તમામ લોકો સુરક્ષિત છે, કોઈને પણ કોઈ ઈજા પહોંચી નથી.