મહારાષ્ટ્રમાં વધતા કોરોનાને કારણે આજથી મિની લોકડાઉન લાગૂ થયું છે. સાથેજ અહીયા ધારા 144 પણ લાગૂ કરી દેવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં આજથી પ્રતિબંધોમાં ધરખમ વધારો
શાળા કોલેજો 15 ફેબ્રુઆરી સુધી બંધ
રાતે 11 થી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગૂ
મહારાષ્ટ્રમાં વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા એક નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આજે 9 જાન્યુઆરીથી રાતના 12 વાગ્યાથી અહીયા મિનિ લોકડાઉન લાગૂ કરવામાં આવ્યા છે. રાતે 11 થી સવારના 5 વાગ્યા સુધી રાજ્યમાં સંપૂર્ણ નાઈટ કર્ફ્યુ લાગૂ કરી દેવામાં આવ્યો છે. સવારે 5 વાગ્યાથી લઈને રાતે 11 વાગ્યા સુધી ધારા 144 લાગૂ કરવામાં આવી છે. એટલે કે હવે જાહેર સ્થળોએ પાંચ કે પછી તેનાથી વધારે લોકો ભેગા નહી થઈ શકે.
સંક્રમણ કાબૂ કરવા લેવાયો નિર્ણય
રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા કોરોના પરિસ્થિતીનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. જેથી બાદમાં તેમણે સંક્રમણને કાબૂમાં રાખવા માટે આ નિર્ણયો લીધા છે.
15 ફ્રેબ્રુઆરી સુધી સ્કૂલો બંધ
નવી ગાઈડલાઈન પ્રમાણે 15 ફેબ્રુઆરી સુધી સ્કૂલોને બંધ કરી દેવામાં આવી છે. સાથેજ કોઈ કારણ વગર ઘરની બહાર નિકળવા પર પાબંધી લગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત સ્વિમીંગ પુલ, જિમ, સ્પા વગેરે જેવા સ્થળો પણ જ્યા સુધી આદેશ ન મળે ત્યા સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.
નિયમનો ભંગ કરનારને 50 હજારનો દંડ
સાર્વજનિક કાર્યક્રમોમાં તેમજ યાત્રામાં માસ્ક અને કોવિડ નિયમો ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. જો કોઈ નિયમ તોડશે તો તેની સામે કડક પગલા લેવા આદેશ આપવામાં આવ્યા છે. આપને જાણીને નવાઈ લાગશે કે જો કોઈએ અહીયા કોરોના નિયમોનો ભંગ કર્યો તો 50 હજાર સુધીનો દંડ કરવામાં આવી શકે છે. સાથેજ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.
ઓફિસમાં 50 ટકા સ્ટાફ સાથે કામ કરાશે
ઓફિસમાં 50 ટકા સ્ટાફ સાથે કામ કરવાની છૂટ આપવામાં આવી છે. જેમા જે કર્મચારીઓએ વેક્સિન લીધી હશે તેમનેજ ઓફિસમાં આવવાની છૂટ આપવામાં આવી છે. આ સિવાય અંતિમ સંસ્કારમાં પણ 20 લોકોને જવાની પરવાનગી આપવામાં આવી છે અને લગ્ન પ્રસંગોમાં 50 ટકા લોકોને જવાની મંજૂરી આપવામાં આવી છે.
હેર કટિંગ અને સલૂન પણ 50 ટકા ક્ષમતા સાથે શરૂ
હેર કટિંગ અને સલૂન પણ 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવામાં આવશે. પરંતુ તે રાતના 10 થી સવારે 7 વાગ્યા સુધી બંધ રહેશે. રેસ્ટોરન્ટ પણ 50 ટકા ક્ષમતા સાથે શરૂ રહેશે સાથેજ રાતે 10 થી 8 તે બંધ રહેશે. જોકે હોમ ડિલિવરી 24 કલાક યથાવત રાખવામાં આવશે. થિયેટરો પણ 50 ટકા ક્ષમતા સાથે શરૂ રહેશે. પરંતુ રાતના 10 વાગ્યાથી લઈ સવારના 8 વાગ્યા સુધી તે પણ બંધ રહેશે.
RTPCR ફરજિયાત
ડોમેસ્ટિક ફ્લાઈટ, ટ્રેન અને રોડ દ્વારા મુસાફરી કરીને જે પણ લોકોને મહારાષ્ટ્ર આવવું હોય તે લોકોએ RT-PCR રિપોર્ટ ફરજિયાત કરાવું પડશે જેમા 75 કલાકમાં અંદર રિપોર્ટ કઢાવેલો હોવો જોઈએ. સાથે જે લોકો મુંબઈની લોકલ ટ્રેનમાં ફરશે તે લોકો ફરજિયાત વેક્સિનેટેડ હોવા જરૂરી છે. જોકે મહત્વનું છે કે ધાર્મિક સ્થળોને લઈને હજુ સુધી કોઈ નિયમનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.
દિલ્હીમાં લોકડાઉન નહી લાગે
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં મીની લોકડાઉન જેવી પરિસ્થિતીની વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ મોટી જાહેરાત કરી છે. જેમા તેમણે એવું કહ્યું કે દિલ્હીમાં કેસ ઓછા છે જેથી હવે લોકડાઉન લગાવામાં નહી આવે. સાથેજ તેમણે એવું પણ નિવેદન આપ્યું કે આ લહેરમાં દિલ્હીમાં પહેલા કરતા મોતને આંકડો ઘણો ઓછો છે.