પૃથ્વીના નિર્માણને લઇને ઘણા પ્રકારની થિયરી સામે આવતી રહે છે. જો કે કોઇને ખબર નથી કે પૃથ્વીનું નિર્માણ કેવી રીતે થયું હતુ અને અંત કેવી રીતે આવશે.
પૃથ્વીની તબાહી 3 વાગે ?
નાસાએ આપી પૃથ્વીવાસીઓને ચેતવણી
જો ઉલ્કાપિંડ ટકરાશે તો થશે ભયંકર નુકસાન
કરોડો વર્ષોમાં પૃથ્વી પર ઘણા બદલાવ થયા છે અને આ બદલાવના કારણે કેટલાક જીવ જંતુ પણ ગાયબ થઇ ચૂક્યા છે જેનું સૌથી મોટું ઉદાહરણ છે ડાયનોસોર. કહેવામાં આવે છે કે પૃથ્વી પર ભયંકર ઉલ્કાપિંડ અથડાયું હતું જે બાદ ડાયનોસોર લુપ્ત થઇ ગયા હતા. હવે ફરી એકવાર તે જ પ્રકારનો ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાવાનો છે.
કોરોનાકાળમાં ઘણા ઉલ્કાપિંડ પૃથ્વી નજીકથી પસાર થઇ ચૂક્યા છે જે ટકરાયા હોત તો પૃથ્વીમાં તબાહી મચી જાત પરંતુ આ પ્રકારની ઘટનાથી પૃથ્વીવાસીઓમાં ખૌફનો માહોલ બની જાય છે. હવે ફરી એકવાર નાસાએ કહ્યું કે 21 ઓગસ્ટ એટલે કે આજે બપોરે 3 વાગ્યાની આસપાસ વિશાળકાય ઉલ્કાપિંડ પૃથ્વી સાથે ટકરાઇ શકે છે. જો ભૂલથી પણ પૃથ્વી સાથે આ ઉલ્કાપિંડ ટકરાશે તો ભીષણ તબાહી મચી જશે.
નાસાએ આપી ચેતવણી
નાસાના કહ્યાં અનુસાર આ ઉલ્કાપિંડ એક હજાર પથ્થરોનો સમુહ છે જેને 2016 AJ193 નામ આપવામાં આવ્યું છે. આ ઉલ્કાપિંડ પૃથ્વીની તરફ 58 હજાર 538mphની સ્પીડથી આવી રહ્યું છે. આજે બપોરે 3 વાગીને 10 મિનીટના સમયે પૃથ્વી સાથે ટકરાઇ શકે છે.
એફિલ ટાવરથી પણ મોટો ઉલ્કાપિંડ
નાસાના જણાવ્યા અનુસાર આ પથ્થર એફિલ ટાવર કરતા પણ મોટો છે. આ ઉલ્કાપિંડ એટલો વિશાળ છે કે તેની સામે દુબઇનો બુર્જ ખલિફા પણ નાનો લાગે. આ પથ્થર પર વૈજ્ઞાનિકોની નજર 2016માં પડી હતી. જો તે પૃથ્વીની આસપાસથી પસાર થશે અને ગુરુત્વાકર્ષણની અસર થશે તો પૃથ્વીથી ટકરાશે નહીતર બાજુમાંથી પસાર થઇ જશે.