સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક યોજાઈ હતી જેમાં CM રૂપાણી અને ગણપત વસાવા બેઠકમાં હાજર રહ્યા હતા. વન-પર્યાવરણ મંત્રી ગણપત વસાવા બેઠક બાદ મહત્વની જાહેરાત કરી હતી. જેમાં સિંહોના મૃત્યુ થયા અંગેની ચર્ચા કરાઈ હતી.
સિંહોના સંવર્ધન માટે 351 કરોડના કામોને સરકારે મંજૂરી આપી છે. આવનાર 5 વર્ષમાં 351 કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
ગુજરાતમાં અન્ય 5 જગ્યાએ સફારી પાર્ક બનાવવામાં આવશે. સાસણગીરમાં પ્રવાસીઓ નો ધસારો વધતા સરકાર હાલ અન્ય સફારી પાર્ક બનાવશે. આ ઉપરાંત સંવર્ધન માટે ડ્રોન રેડિયો કોલર CCTVની ખરીદી પણ કરાશે.