ગાંધીનગર: ગુજરાતમાં ગાયોના ઘાસચારાની અછતને કારણે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે ઘાસચારાની અછતને પહોંચી વળવા માટે ગુજરાતના પાંજરાપોળના 2-2 પ્રતિનિધિઓની બેઠક યોજાઈ છે. રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આજે રોજ 33 જીલ્લાઓના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ છે.
ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં 33 જિલ્લાના પાંજરાપોળના 2-2 પ્રતિનિધીઓની બેઠક યોજાઇ હતી. જેમાં પાંજરાપોળના આગેવાનોએ સરકાર સામે હૈયા વરાળ ઠાલવી હતી. સરકારે રાજસ્થાન પધ્ધતીથી ગૌશાળાઓને મદદ કરવી જોઈએ તેવી પણ અપીલ કરી છે.
આ બેઠકમાં સરકારી ઘાસચારાને લઈને અનેક સવાલો ઉઠયા છે. સરકારે આપેલા ઘાસચારા પશુઓ ખાઈ શકતા નથી. સરકારે પોતાના વાયદા નિભાવ્યા છે. ઘાસચારાની અછતને પહોંચી વળવા ઘટી રહેલા દાનના પ્રવાહ અને સરકારમાં રજુઆત કરવા બાદ પ્રતિનિધિમંડળની નિમણૂંક કરવા અંગે પણ ચર્ચા કરાશે. જો કે આવનારા સમયમાં સરકાર દ્વારા શું પગલા લેવામાં આવે છે તે તો આવનારો સમય જણાવશે.