કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોરની નારાજગીના મામલે અલ્પેશ ઠાકોરને મનાવવા માટે કોંગ્રેસે કવાયત હાથ ધરી છે. કોંગ્રેસના ઠાકોર અગ્રણીઓની બેઠક મળી હતી.
આ બેઠકમાં ભરતસિંહ સોલંકી જગદીશ ઠાકોર અલ્પેશ ઠાકોર અને બળદેવજી ઠાકોર પણ બેઠકમાં હાજર રહ્યાં હતાં. એક કલાકથી બંધ બારણે બેઠક ચાલી રહી હતી.
પાર્ટી ફોરમમાં રહી રજૂઆત કરવા સૂચન કરવામાં આવ્યુ છે. જાહેરમાં પાર્ટી વિરૂદ્ધ નિવેદન ન આપવા પણ સલાહ આપવામાં આવી છે. આ મામલે અલ્પેશ ઠાકોર દિલ્લી જવા માટે રવાના થયા છે.
ભરત ઠાકોર અને ધવલસિંહ ઝાલા પણ દિલ્લી જવા નિકળ્યા છે. તેમની નારાજગી મુદ્દે હાઇકમાન્ડને મળીને રજૂઆત કરશે. પ્રદેશ કોંગ્રેસમાં ઠાકોર સેનાને સન્માન ન મળતું હોવાના તેમણે આક્ષેપ કર્યા છે.