બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:13 PM, 13 June 2024
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) દ્વારા દરેક વીમા ઉત્પાદોમાં લોન આપવાનું ફરજિયાત કરી દેવાયું છે. આ નિર્ણયથી પોલિસીધારકોની પૈસા સબંધિત જરૂરત પૂરી થઈ શકશે. દરેક રેગ્યુલેશનને એકીકૃત કરી IRDAIએ બુધવારે એક માસ્ટર પરિપત્ર બહાર પાડ્યો છે. આ સાથે ફ્રી લુક પીરિયડને 15 દિવસથી વધારી 30 દિવસ કરી દેવામાં આવી છે. ફ્રી લુક સમયગાળામાં પોલિસીના નિયમ અને શરતોની સમીક્ષા કરવાનો સમય આપવામાં આવે છે.
ADVERTISEMENT
આ અંગે IRDAIએ જણાવ્યું કે, વીમા નિયામક દ્વારા પોલિસીધારકોના હિતમાં આ નિર્ણય લેવાયો છે. આ પરિપત્રમાં પેન્શન પ્રોડક્ટ હેઠળ કેટલાક પૈસા ઉપાડવાની પણ પરમિશન આપવામાં આવી છે. જેનાથી વ્યક્તિને તેના જીવનના મહત્વની ઘટનાઓ જેમ કે, બાળકોની શિક્ષા,વિવાહ, મકાન બનાવવું કે બીમારીમાં ઉપચાર વખતે નાણાકીય સહાય મળશે.
ADVERTISEMENT
IRDAI અનુસાર પોલિસી બંધ કરવાના મામલામાં તેને બંધ કરનારા પોલિસીધારક અને ચાલુ રાખનાર પોલિસીધારક આ બંને માટે મુલ્યપરક રકમ સુનિશ્ચિત કરવી જોઈએ. પરિપત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જો વીમા કંપની વીમા લોકપાલના નિર્ણયના વિરૂધ્ધ અપીલ નહીં કરે અને તેને 30 દિવસમાં લાગૂ નહીં કરે તો અરજદારને દરરોજ 5000 હજાર રૂપિયા લેખે દંડ આપવો પડશે.
વાંચવા જેવું: ક્રેડિટ સ્કોર ખરાબ થઇ ગયો છે? તો ટેન્શન છોડો, બસ અપનાવો આ 5 ટિપ્સ
આ સાથે વીમા કંપનીઓને એમ પણ કહેવામાં આવ્યું છે કે, પોલિસીધારકોને આર્થિક નુકશાનથી બચાવવા, નિરંતરતામાં સુધાર લાવવા અને ખોટા વીમા આપવા પર રોક લગાવવા સિસ્ટમ બનાવવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Petrol Diesel Price / પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે રાહત, યથાવત કે વધારો? પૂરાવતા પહેલા જાણી લો આજના રેટ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.