સુરતનો આ વ્યક્તિ સરકારી ચોપડે મૃત બની ગયો. સરકારી ચોપડે મૃત બનવા માટે એક ડમી ડેડ બોડીને PPE કીટ પહેરાવીને સ્મશાનમાં અંતિમવિધિ પણ કરાવી નાખી હતી.
સુરતનો વ્યક્તિ દેણું ન ચૂકવી શકતા કર્યું મોતનું નાટક
ડમી ડેડ બોડીને PPE કીટ પહેરાવીને સ્મશાનમાં અંતિમવિધિ
મુંબઈના એક બારમાંથી જીવીત ઝડપાય મૃત વ્યક્તિ
સુરતમાં એક ફિલ્મી સ્ટોરી જેવો જ કિસ્સો સામે આવ્યો છે. કોર્ટ કેસમાંથી છૂટકારો મેળવવા મોતનું નાટક કર્યું હતું. અને સુરતનો આ વ્યક્તિ સરકારી ચોપડે મૃત બની ગયો. સરકારી ચોપડે મૃત બનવા માટે એક ડમી ડેડ બોડીને PPE કીટ પહેરાવીને સ્મશાનમાં અંતિમવિધિ પણ કરાવી નાખી હતી. પરંતુ સરકારી ચોપડે મૃત વ્યક્તિ મુંબઈની બારમાં અયાશી કરતો ઝડપાયો છે.
સુરતના રિંગરોડ વિસ્તારના અનુપમ માર્કેટમાં સંજય અગ્રવાલની કાપડની દુકાન હતી. છેલ્લા કેટલાક વર્ષોથી સંજયભાઈ કાપડના ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. જેમાં એમની મુલાકાત કમલેશ ચંદવાની સાથે થઈ હતી. સંજય દ્વારા અંદાજિત બે લાખ રૂપિયાનો કાપડનો માલ આપ્યો હતો. પરંતુ ગણતરીના દિવસોમાં કમલેશ ઉઠામનું કરી નાખતા સલાબતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ સંજય દ્વારા નોંધવામાં આવી. અને કમલેશની પોલીસે ધરપકડ કરી અને કમલેશ લાજપોર જેલ પહોંચી ગયો.
કોર્ટે શરતી જામીન આપ્યા પછી બીજી તારીખે આરોપી મૃત જાહેર થયો
કોર્ટમાં મામલો જતાં આરોપી દ્વારા પેમેન્ટની આપવાની વાત કરતા હાઈકોર્ટે શરતી જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો. કોર્ટમાંથી શરતી જામીન મળ્યા બાદ પણ પેમેન્ટ આપવાની આનાકાની શરૂ કરી હતી. અને જ્યારે કોર્ટમાં બીજી તારીખ પડી ત્યારે કમલેશનું મોત થયું હોવાની વાત સામે આવતા વેપારી સંજય પણ ચોંકી ગયો હતો.
સંજય અગ્રવાલને લાગ્યું કે, આ વ્યક્તિ જીવીત છે
સંજય અગ્રવાલને કંઈક અજુકતું લાગતા પોતે તપાસમાં જોતરાઈ ગયા કે, કમલેશનું મોતનું કારણ શું છે. અને શું ખરેખર કમલેશ મરી ગયો છે કે નહીં. આરોપી કમલેશના પાડોશમાં સંજયભાઈએ પૂછપરછ કરતા કમલેશ જીવિત છે તેવો અંદાજો આવી ગયો હતો. અને સ્માશન સુધી ફરિયાદી સંજયભાઈ પોલીસ સાથે પહોંચી ગયા હતા. જ્યાં કમલેશ ચંદવાની અંતિમવિધિ ઉમરા સ્મશાનમાં એક તબીબની ચિઠ્ઠી આધારે થઈ હતી.
ડૉક્ટરની નકલી ચીઠ્ઠીના આધારા અંતિમ સંસ્કાર
જે ડૉક્ટરના નામની ચીઠ્ઠી આધારે અંતિમ વિધિ કરાઈ તે સર્ટિફિકેટ બોગસ નિકળ્યું હતું. સાથે એની પર સહી અને સ્ટેમ્પ પર ખોટા હતા. પોલીસે ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરતાં કમલેશ જીવતો હોવાનું બહાર આવ્યું હતું. કોર્ટ કેસોમાંથી છુટકારો મેળવવા અને બાકી લોન નહીં ભરવા કમલેશે આ કાવતરું ઘડ્યું હતું.