રાજકોટ મનપામાં એક વ્યક્તિ 1800 રૂપિયાના ચલણી સિક્કા લઈને વેરો ભરવા પહોંચ્યો તો મનપા અધિકારીઓએ ન સ્વિકારાતા થઈ ગઈ મોટી બબાલ
રાજકોટમાં વેરો ભરવા બબાલ
વેરા શાખાએ સિક્કા ન સ્વિકાર્યા
1800 રૂપિયાના સિક્કા મનપાએ ન સ્વિકાર્યા
રાજકોટમાં મનપામાં વેરો ભરવા મામતે બબાલ સામે આવી છે આપને જાણને નવાઈ લાગશે તે મનપામાં એક વ્યક્તિ 1800 રૂપિયાના ચલણી સિક્કા લઈને વેરો ભરવા પહોંચ્યો હતો પરતું આ સિક્કાઓ મનપા દ્વારા ન સ્વિકારવામાં આવતા વેરો ભરવા માટે આવલ વ્યક્તિ રોષ ભરાયો હતો.
વેરા શાખાએ સિક્કા ન સ્વિકાર્યા
મહત્વનું છે કે આ વ્યક્તિ પોતાને મંદિરનો પૂજારી હોવાનું જણાવે છે જે 1 રૂપિયાથી લઈને 2 રૂપિયા 5 અને 10 રૂપિયાના સિક્કાઓ લઈ મનપાની વેરાશાખામાં વેરો ભરવા માટે પહોંચ્યો હતો પરતું વેરા વિભાગ દ્વારા આ સિક્કાઓ ન સ્વિકારવામાં આવતા મંદિરના પૂજારીએ આ સિક્કાઓને મનપાના ટેબલ પર નાખ્યા હતા.
1800 રૂપિયાના સિક્કા મનપાએ ન સ્વિકાર્યા
અહી ઉલ્લેખનિય છે કે હાલ રાજ્યમાં મોંઘવારીએ માજા મુકી છે ત્યારે મંદિરના આ પૂજારી દ્વારા મોંઘવારીના વિરોધમાં ચલણી સિક્કાઓ લઈને મનપામાં વેરો ભરવા પહોંચ્યો હતો જ્યાં બબાલ સર્જાઈ હતી. જોકે મનપા દ્વારા સિક્કાઓમાં વેરો ન સ્વિકારવામાં આવતા પૂજારીએ આ સિક્કાઓને મનપાના ટેબલ પર નાખ્યા હતા.