દિલ્હીમાં કોલસાની અછતને કારણે મોટું વિજ સંકટ સર્જાઈ શકે છે. જેને લઈને CM કેજરી વાલે PM મોદીને પત્ર લખીને તેમની પાસે 3 માગો કરી છે.
દિલ્હીમાં સર્જાઇ શકે છે મોટું વિજ સંકટ
કેજરીવાલે PM મોદીને લખ્યો પત્ર
પત્રમાં તેમણે વડાપ્રધાન પાસે 3 માગો કરી
Delhi could face a power crisis. I am personally keeping a close watch over the situation. We are trying our best to avoid it. In the meanwhile, I wrote a letter to Hon’ble PM seeking his personal intervention. pic.twitter.com/v6Xm5aCUbm
દિલ્હીમાં વીજ સંકટના મોટા ભણકારા વાગી રહ્યા છે. ત્યારે દિલ્હી સરકારના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈનૈ બધીજ વીજ કંપનીઓ સાથે બેઠક કરી ઠે. જેમા દિલ્હીની ત્રણ મોટી વીજ કંપની BSES, બીએસીએસ યમુના અને TPDDL કંપીનાન અધિકારીઓ સાથે તેમણે બેઠક કરી હતી. આ બેઠકમાં વીજ સંકટને લઈને મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.
PM મોદીને લખ્યો પત્ર
બેઠકમાં વીજ સંકટને કેવી રીતે ટાળી શકાય તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બીજી તરફ કોલસાની અછતને લઊને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે જેમા તેમણે વીજ સંકટ પર વીગતવાર માહિતી આપી છે.
કોલસાના સ્ટોક વીશે PMને માહિતી આપી
કેજરીવાલે PM મોદીને પત્ર લખીને માહિતી આપી કે થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાની અછત છે. સાથેજ હાલ થર્મલ પાવર પ્લાન્ટ પાસે કોલસાનો કેટલો સ્ટોક છે તે વીશે પણ તેમણે જાણકારી આપી હતી. વધુમાં તેમણે પીએમ મોદીને કહ્યું કે ગેસ આધારિત થર્મલ પાવર પ્લાન્ટ પર હવે નીર્ભરતા વધી શકે છે. જોકે એટલી ક્ષમતામાં પણ દિલ્હી પાસે ગેસ નથી કે જેનાથી લોકોને વીજળી પૂરી પાડી શકાય.
વડાપ્રધાન સામે 3 માગો કરી
ઉલ્લેખનીય છે કે વીજ સંકટને લઈને મુખ્યમંત્રી કેજરીવાલે PM મોદી સામે ત્રણ માગો મુકી છે. જેમા પહેલી માગ તેમણે એવી કરી છે કે પાવર પ્લાન્ટમાં કોલસો મોકલવામાં આવે, બીજી માગ એવી કરી છે કે ગેસ આધારિત પાવર પ્લાન્ટમાં પર્યાપ્ત માત્રામાં ગેસ આપવામાં આવે. સાથેજ ત્રીજી માગ તેમણે એવી કરી છે કે નફાખોરી ના થાય તે માટે પ્રતિ યૂનિટ વિજળી વેચવાને લઈને ભાવ નક્કી કરવામાં આવે.