મોરબી જીલ્લાનાં વાંકાનેર તાલુકામાં સાંજના સુમારે અકસ્માત સર્જાયો હતો. ત્યારે વાંકાનેરના કોટડા નાયાણી ગામે કૂવો ગાળતા અકસ્માત સર્જાયો હતો. ભેખડ ધસી પડતા ત્રણ મજૂરો દટાયા હતા.
વાંકાનેરના કોટડા નાયાણી ગામે કુવો ગાળતા થયો અકસ્માત
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં બનેલો બનાવ
કુવા ગાળતા સમયે ભેખડ ઘસી પડતા ત્રણ મજુર દટાયા
મોરબી જીલ્લાનાં વાંકાનેર તાલુકામાં સાંજના સુમારે અકસ્માત સર્જાયો હતો. ત્યારે વાંકાનેરના કોટડા નાયાણી ગામે કૂવો ગાળતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે કુવો ગાળતા સમયે અચાનક ભેખડ ઘસી પડતા ત્રણ મજૂરો દટાયા હતા. ભેખડ નીચે દટાયેલા ત્રણેય મજૂરોનાં મોત નિપજ્યા હતા. ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.
કુવા ગાળતા સમયે ભેખડ ઘસી પડતા ત્રણ મજુર દટાયા
આ બાબતે ફિરોજ હુસેને જણાવ્યું હતું કે આજ રોજ મારી વાડીમાં જૂના કૂવાની અંદરથી જૂનો ગાળ કાઢવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમ્યાન અચાનક કૂવાની દિવાલ ધસી પડતા કૂવામાં અંદર રહેલ ત્રણેય મજૂરો દટાઈ જવા પામ્યા હતા. ત્યારે જોરથી અવાજ આવતા હું કૂવા તરફ ગયો હતો. જ્યાં કૂવાની દિવાલ ધસી પડી હતી અને ત્રણેય મજૂરો અંદર દટાયેલા હતા. આ બાબતની જાણ મેં ગ્રામજનોને કરતા ગ્રામજનો તાત્કાલિક દોડી આવ્યા હતા. અને ત્રણેય મજૂરોને કૂવામાંથી બહાર કાઢી તાત્કાલીક સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ બાબતની જાણ મજૂરોનાં પરિવારજનોને થતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.