નાણાકીય વર્ષ 2020-21ના બીજા અથવા સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્ધિદર માઇનસ 7.5% રહ્યો હતો. નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં એટલે કે જૂનના ત્રિમાસિક ગાળામાં પણ ભારતીય અર્થવ્યવસ્થામાં આશરે 24 ટકાનો ઘટાડો થયો છે. સતત બે ક્વાર્ટરમાં જો નેગેટિવ ગ્રોથ આવે તો દેશ આધિકારિક રીતે મંદીના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે તેવુ કહી શકાય.
આધિકારિક રીતે અર્થતંત્ર મંદીમાં હોવાનું ફાઇનલ થયું
સળંગ બે ક્વાર્ટરમાંઅ GDP ગ્રોથ રેટ નેગેટિવ
હેલા ક્વાર્ટરમાં તે માઇનસ 24 ટકાની આસપાસ હતો રેટ
કોરોના વાયરસ સંકટ વચ્ચે GDP વૃદ્ધિના આંકડા બીજી વખત 27 નવેમ્બર એટલે કે શુક્રવારે આવ્યા છે. નાણાકીય વર્ષ 2020-21ના બીજા અથવા સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં GDP વૃદ્ધિદર માઇનસ 7.5% નોંધાયો હતો અને પહેલા ક્વાર્ટરમાંઅ તે માઇનસ 24 ટકાની આસપાસ હતો.
પ્રથમ ક્વાર્ટર કરતા જો કે આ ક્વાર્ટરમાં સુધારો થયો છે પરંતુ સતત બે ક્વાર્ટરમાં માઇનસ ગ્રોથ રેટ આવવો તેનો અર્થ છે કે દેશ ઑફિશિયલી મંદીના સમયમાં છે અને સરકારે પણ તેને સ્વીકારી લીધી છે. નોંધનીય છે કે લોકડાઉન દરમિયાન પ્રવૃત્તિઓ બંધ થઈ જવાથી અર્થતંત્રને નુકસાન પહોંચ્યું હતું પરંતું ધીરે ધીરે અનલોકમાં તબક્કાવાર તે ખૂલ્યું હતું જેને લઈનેપ સુધારો જોઈ શકાય છે.
સરકારે ડેટા ઉપર શું કહ્યું
આ દરમિયાન મુખ્ય આર્થિક સલાહકારે એ મતલબનું નિવેદન આપ્યું હતું કે કોરોના પહેલા અર્થતંત્ર સારું હતું પરંતુ મહામારીના લીધે તેમાં સુસ્તી આવી જો કે હવે તે સારું કામ કરી રહ્યું છે. અને પ્રથમ ક્વાર્ટરની તુલનામાં સારી રિકવરી છે. તેમણે કહ્યું કે ઉત્પાદન ક્ષેત્રે 0.6 ટકા અને કૃષિ ક્ષેત્રમાં 3.4 ટકાનો વિકાસ થયો છે.
રિઝર્વ બેંકનો અંદાજ શું કહે છે ?
રિઝર્વ બેંકે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં GDP માં 8.6 ટકાનો ઘટાડો થવાનો અંદાજ મૂક્યો હતો. કેર રેટિંગ્સે GDP માં 9.9 ટકાનો ઘટાડો થવાનું કહ્યું હતું. કહેવાનો અર્થ એ છે કે આ સંદર્ભે અર્થવ્યવસ્થાએ સારું પ્રદર્શન કર્યું છે. એવી અપેક્ષા છે કે ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળામાં અર્થતંત્રમાં થોડો સુધારો થઈ શકે. મહત્વ નું છે કે નાણાકીય વર્ષ 2019-20ના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં GDP માં 4.4 ટકાનો વિકાસ થયો હતો.
કોર સેક્ટરની જો વાત કરીએ તો ઓક્ટોબરમાં ગ્રોથ -2.5 ટકાનો હતો, જે સપ્ટેમ્બરમાં 0.8% કરતા ઓછો છે. કોલસો, ક્રૂડ તેલ, ખાતર, સ્ટીલ, પેટ્રો રિફાઇનિંગ, વીજળી અને કુદરતી ગેસ ઉદ્યોગોને અર્થતંત્રનો પાયો માનવામાં આવે છે. આ આઠ પ્રદેશોને મુખ્ય ક્ષેત્ર કહેવામાં આવે છે.
મંદી શું છે ?
અર્થશાસ્ત્રમાં સ્વીકૃત વ્યાખ્યા અનુસાર, જો કોઈ દેશનો GDP સતત બે ક્વાર્ટર સુધી નેગેટિવ રહે છે, એટલે કે, વૃદ્ધિને બદલે તે નીચે આવે છે, તો તે મંદીની સ્થિતિ તરીકે માનવામાં આવે છે. નોંધનીય છે કે તકનીકી રીતે દેશ આર્થિક મંદીમાં અટવાયો છે. કારણ કે આ નાણાકીય વર્ષના સતત બે ક્વાર્ટરમાં GDP માઇનસ છે.