હનુમાનજીની બુદ્ધિ અને બળના વખાણ ત્રેતાયુગથી કળિયુગ સુધી થતા આવ્યા છે. ભક્તોને પણ હનુમાનજીમાં શ્રદ્ધા રહેલી છે પરંતુ કળિયુગમાં બે રાજ્યો વચ્ચે ભગવાનના જન્મસ્થાનને લઇને ઘમાસાણ મચ્યુ છે.
હનુમાનજીના જન્મસ્થાનને લઇને મોટો વિવાદ
આંધ્રપ્રદેશ અને કર્ણાટક વચ્ચે વિવાદ
ઉગાદી પર લોન્ચ થવા જઇ રહ્યુ છે પુસ્તક
કર્ણાટક અને આંધ્રપ્રદેશ બંને રાજ્યો વચ્ચે આ વાતને લઇને ઘમાસામ મચ્યુ છે કે હનુમાનજીનો જન્મ ક્યાં થયો હતો. હવે કર્ણાટકના શિવમોગાના એક ધર્મગુરુએ મારુતિનંદનના જન્મ સ્થળ પર નવો દાવો કર્યો છે. તેમનું કહેવુ છે કે ઉત્તર કન્નડ જિલ્લાના તિર્થસ્થળ ગોકર્ણમાં રામદૂત હનુમાનનો જન્મ થયો હતો.
આંધ્ર પ્રદેશ અને કર્ણાટકનો હનુમાનજી પર દાવો
કર્ણાટકનો દાવો છે કે હનુમાનજીનો જન્મ કિષ્કિંઘાના અંજનાદ્રિ પર્વત પર થયો હતો. આ જગ્યા કોપ્પલ જિલ્લાના અનેગુંડીમાં આવેલી છે. બીજી તરફ આંધ્રપ્રદેશ પણ હનુમાનજીના જન્મસ્થળ પર દાવો કરી રહ્યું છે. તે કહે છે કે હનુમાનજીનો જન્મ તિરુમલા પહાડ પર થયો હતો.
હવે શિવમોગાના મઠની પણ દલીલ
કર્ણાટકના શિવમોગા સ્થિત રામચંદ્રપુર મઠના પ્રમુખ રાઘવેશ્વર ભારતી પોતાના દાવાના સમર્થનમાં રામાયણનો ઉલ્લેખ પણ કર્યો છે. તેમણે કહ્યું તે રામાયણમાં મળેલ પ્રમાણથી અમે કહી શકીએ છીએ કે ગોકર્ણ હનુમાનજીની ભૂમી છે જ્યારે અંજનાદ્રિ અને કિષ્કિંઘા તેમની કર્મભૂમિ છે.
તિરુમલાના પહાડમાં જન્મ
તિરુમલાના સાત પવિત્ર પહાડમાંથી એકમાં ભગવાન હનુમાનજીનો જન્મ થયો હતો. આ દાવો કરનાર એક સાક્ષ્ય આધારિત પુસ્તક 13 એપ્રિલે રિલીઝ કરવામાં આવશે.
અંજનાદ્રિ પહાડમાંથી જમા કર્યુ સાક્ષ્ય
ગયા વર્ષે ડિસેમ્બરમાં ટીટીડીના કાર્યકારી અધિકારી કેએસ જવાહર રેડ્ડીએ વિદ્વાનોની એક ઉચ્ચસ્તરીય સમિતિ બનાવી હતી. આ સમિતિનું ગઠન અધ્યયન કરવા અને સાત પહાડીમાંથી એક અંજનાદ્રીમાંથી પ્રમાણ એકત્રિત કરવા માટે થયુ હતુ.
તિરુમલા દેવસ્થાનમના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ખગોળીય, પુરાલેખીય, વૈજ્ઞાનિક અને પૌરાણીક પ્રમાણવાળા આ પુસ્તકને તેલુગુ નવાવર્ષના દિવસે ઉગાદી પર લોન્ચ કરવામાં આવશે.
તેલૂગુ દેશમ પાર્ટીના પ્રવક્તા એન બી સુધાકર રેડ્ડીએ કહ્યું કે આ વિશ્વાસ કરવાની પુરી સંભાવના છે કે ભગવાન હનુમાનનો જન્મ તિરુમલા પહાડ પર થયો હતો કારણકે હનુમાનજીને દક્ષિણ ભારતમાં શ્રી અંજનીસ્વામીના નામથી ઓલખવામાં આવે છે.
રાષ્ટ્રીય પાન્ડુલિપિ મિશનના પૂર્વ ડાયરેક્ટક પ્રો. વી વેંકટરમણ રેડ્ડીએ કહ્યું કે દેવતાઓના જન્મસ્થળ પર આ પ્રકારની ખોજ ઉચિત નથી. જ્યારે તિરુમલામાં સ્થિત શ્રી વેંકટેશ્વર મંદિરના મુખ્ય પુજારી એવી રમના દીક્ષિતુલુએ આ સંબંધમાં ટિપ્પણી કરવાથી ઇન્કાર કરી દીધો હતો.