સરકાર સાથે મીટિંગમાં બહુ થયું હવે ડૉક્ટરોનું આંદોલન ઉગ્ર બને તેવા એંધાણ જ્યાં સુધી તમામ માંગણી સંતોષાય નહિ ત્યાં સુધી તબીબોએ હડતાળ ચાલુ રાખવા ચીમકી ઉચ્ચારી છે
રેસિડન્ટ ડોક્ટરોની હડતાળ
સરકાર અને ડોક્ટરો વચ્ચે સમાધાન નિષ્ફળ
તબીબોએ ઇમરજન્સી સેવા પણ રાખી બંધ
સરકાર અને તબીબો વચ્ચે ચાલી રહેલી હડતાળ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ગઈ કાલે આરોગ્ય મંત્રી નાયબ મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ તબીબોને સંતોષકારક જબાબ ન મળતા રેસિડેન્ટ તબીબો ફરી હડતાળ ઉપર ઉતરી ગયા છે. ડોક્ટરોની હડતાળ મુદ્દે બુધવારે સરકાર અને ડોક્ટરો વચ્ચે વાટાઘાટો થઈ હતી પરતું મોડી રાત સુધી કોઈ સમાધાન ન થતા તબીબોએ ઇમરજન્સી અને કોવિડની શરૂ કરેલ સેવાઓ પણ આજથી પરત લેવાની જાહેરાત કરી છે. અને જ્યાં સુધી તમામ માંગણી સંતોષાય નહિ ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા ચીમકી ઉચ્ચારી છે.
સરકાર અને ડોક્ટરો વચ્ચે સમાધાન નિષ્ફળ
ગઈકાલે વાતચીત દરમિયાન ડોક્ટરો અને યુનિયર ડોક્ટરો ઇનરજન્સી સેવામાં જોડાઈ ગયા હતા પરંતુ હડતાલ ચાલુ રાખી હતી. પરતું ડોક્ટોરો તેમની માંગને લઈ અડગ રહ્યા હતા જ્યારે સરકાર પણ પાછી પાની કરવાની મૂડમાં ન હોય તેમ તબીબોની માંગ સ્વીકારવામાં આવશે નહીં તેમ જણાવતા DyCM નીતિન પટેલ દ્વારા ચેતવણી આપતા કહેવામાં આવ્યું કે હડતાળ કરી રહેલા ડોક્ટર્સ સાથે કોઈ ચર્ચા કરવામાં આવશે નહીં, ચાલુ હડતાળ દરમિયાન કોઈ ચર્ચા સરકાર કરશે નહીં જો હડતાળ સમેટી લેશે તો જ વાતચીતને સ્થાન મળશે. રાજ્ય સરકાર પણ પોતાના આ નિર્ણય પર અડગ છે અને રહેશે.
આજથી તબીબો નહીં જોડાય દર્દીઓની સેવામાં
સરકાર અને ડોક્ટરો વચ્ચે સમાધાન નિષ્ફળવધુમાં નીતિન પટેલે કહ્યું હતું કે રેસિડેન્ટ ડૉક્ટરોએ ઈન્ટર્નશીપ કરવી ફરજીયાત છે. ઈન્ટર્નશીપ વગર કોઈ સર્ટિફિકેટ મળી શકશે નહીં, રેસિડેન્ટ ડૉક્ટરો પોતે જ કારકિર્દિને નુકસાન કરી રહ્યા છે તબીબ તરીકે ઈન્ટર્નશીપ પૂર્ણ કરવી ફરજિયાત છે જે વાત ડોકટરો ધ્યાન રાખે અને હડતાળને અહીથી પૂર્ણ કરી દર્દીઓની સેવાના કામે લાગી જાય તેવી ચેતવણી આપી હતી.
ઇમરજન્સી ડ્યુટી બંધ રાખવા તબીબોએ લીધો નિર્ણય
મહત્વનું છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસની તબીબો પોતાની પડતર માગોને લઇ હડતાળ કરી રહ્યાં છે. સરકારની હોસ્ટેલ ખાલી કરાવવાની ચેતવણી છતાં ડોક્ટરો પોતાની માગ પર અડગ છે.ત્યારે ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તબીબો પોતાની પડતર માગને લઇ હડતાળ પર ઉતર્યા હતા અને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં તબીબોએ મોટી સંખ્યામાં એકઠાં થઇ ભારે સૂત્રોચાર કર્યા હતા.
સરકાર માંગ નહીં સ્વીકાર પર તટસ્થ
સરકારના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને બી.જે.કોલેજના ડીન સહિતના સરકારના સભ્યો સાથે રેસિડેન્ટ ડોક્ટરો-એસો. સાથે બુધવારે મોડી રાત સુધી મીટિંગ ચાલી હતી.પરંતુ સરકાર સંપૂર્ણ રીતે બોન્ડના નિયમમાં ફેરફાર કરવા તૈયાર નથી બીજી બાજુ રેસિડેન્ટ ડોક્ટરો પણ પોતાની માંગ પર મક્કમ છે અને તેના કારણે આ મામલે કોઈ સમાધાન હજુ સુધી આવ્યું નથી.
સરકારના વલણને લઈને વિરોધ ઉગ્ર બની શકે
મહત્વનું છે કે ગઈ કાલ રાત્રે ગાંધીનગર ખાતે તબીબો અને સરકાર વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં સરકારે સેકન્ડ થર્ડ રેસિડેન્ટ તબીબોને 1:2 લાભ આપવાનો ઇન્કાર કર્યો છે જે બાદ સરકારના આવા વલણને લઈને તબીબોનો વિરોધ ઉગ્ર બને તેવું લાગી રહ્યું છે.