ભારત સહિત દુનિયાભરમાં કોરોનાનો કહેર યથાવત છે. દુનિયામાં અત્યાર સુધીમાં 5.46 કરોડથી વધારે લોકો આ વાયરસથી સંક્રમિત થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં 13.23 લાખ લોકોના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે. ત્યારે 3.80 કરોડ રિકવર થયા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યાનુંસાર 24 કલાકમાં દુનિયા ભરમાં કુલ 6 લાખ 60 હજાર 905 નવા દર્દીઓ સામે આવ્યા છે. એક અઠવાડિયમાં મળનારા અત્યાર સુધીના સૌથી વધારે કેસ છે.
હાલ સાવધાની જ બચાવ છે
છેલ્લા 2 અઠવાડિયામાં અમેરિકામાં કોરોનાના નવા કેસમાં 80 ટકાનો વધારો
એક અઠવાડિયમાં મળનારા અત્યાર સુધીના સૌથી વધારે કેસ
કોરોનાની બીજી લહેરમાં અમેરિકાની સ્થિતિ વધારે ગંભીર બની રહી છે. છેલ્લા 2 અઠવાડિયામાં અમેરિકામાં કોરોનાના નવા કેસમાં 80 ટકાનો વધારો થયો છે. શનિવારે અમેરિકામાં 159021 મામલા સામે આવ્યા છે. ત્યારે નવા મોતની સંખ્યા 1210 રહી છે. ગત અઠવાડીયામાં નવા દર્દીઓને દૈનિક સરેરાશ 1,45,712 રહ્યું છે. આ 2 અઠવાડીયાની સરખામણીએ 80 ટકા વધારે છે. વિશ્વ સ્વાથ્ય સંગઠનના મહાનિર્દેશક ટેડ્રોસ અધનોમ ગ્રેબેસિસે કહ્યુ કે કોરોનાની લડાઈ આપણે બહું લાંબી લડવાની છે. તેમણે ફરીથી ચેતવણી આપી છે કે દુનિયાએ નવી મહામારી માટે તૈયાર રહેવું જોઈએ.
ટેડ્રોસે કહ્યું કે આ છેલ્લી મહામારી નથી. ઈતિહાસે આપણન શીખવ્યું છે કે પ્રકોપ અને મહામારી જીવનનું એક તથ્ય છે. પરંતુ જ્યારે આવનારી મહામારી આવશે તો દુનિયાએ તૈયાર રહેવું જોઈએ. આ વખતની સરખામણીએ વધારે તૈયાર રહેવું જોઈએ. ટેડ્રોસે કહ્યું કે કોઈ દેશ એમ ન કહી શકે કે કોરોનાને પહોંચી વળવા માટે તે પર્યાપ્ત રુપે તૈયાર છે. કે તેમની પાસે શીખવા માટે કોઈ શીખ નથી. તેમણે કહ્યું કે ધ્યાન રાખો આપણે થાકી શકીએ છીએ પણ વાયરસ નહીં. એટલા માટે સાવધાની વર્તો.
ડબ્લ્યૂએચઓના મહાનિર્દેશકે કહ્યું કે દુનિયા હાલ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. તે સ્થિતીમાં કોઈ એક વસ્તુ પર નિર્ભર ન રહી શકાય. આપણે કોરોનાને બચાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ત સેનેટાઈઝરના ઉપયોગની સાથે અન્ય વિકલ્પો પર વિચાર કરવો જોઈએ. કેમ કે રસી બનવવામાં ઘણો સમય છે. ટેડ્રોસે કહ્યું કે કોરોના પોતાની રીતે ખતમ નહીં થાય અને આપણી પાસે તેને ખતમ કરવા કોઈ હથિયાર નથી. એટલા માટે હાલ સાવધાની જ બચાવ છે.