અમદાવાદના સનાથલ પાસે જ બુધવારે દીપડો દેખાયો હોવાના સમાચાર મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદના સનાથળમાં દીપડો
દીપડાએ નીલગાયનું મારણ કર્યું
વન વિભાગે શરૂ કર્યું સર્ચ ઓપરેશન
અમદાવાદમાં સનાથલ પાસે દીપડો દેખાયો
સનાથલ સર્કલ પાસે બુધવારે દીપડો દેખાયો હોવાની વાતથી ફફડાટ ફેલાયો હતો. વનવિભાગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, દીપડાએ નીલ ગાયનું મારણ પણ કર્યું છે. હાલ વન વિભાગને દીપડાના ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે અને દીપડાને પકડવા સનાથલ વિસ્તારમાં પાંજરાં મૂક્યા છે.
દીપડાએ નીલગાયનું મારણ કર્યું
અમદાવાદના સનાથલ પાસે જ બુધવારે દીપડો દેખાયો હોવાના સમાચાર મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. છેક અમદાવાદની હદમાં દીપડાએ નીલગાયનું મારણ કર્યું હોવાથી વનવિભાગ પણ દોડતું થયું છે. વનવિભાગે તપાસ કરતાં દીપડાના ફૂટપ્રિન્ટ પણ મળી આવ્યા હતા, તેથી વનવિભાગ દ્વારા સનાથલમાં પાંજરા મૂકવામાં આવ્યા છે.
દીપડાના ફૂટ પ્રિન્ટ મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ
નોંધનીય છે કે સનાથલ અમદાવાદની હદ વિસ્તારમાં આવે છે અને સરખેજ વિસ્તાર સનાથલની અડીને આવેલો છે. આમ સિટી વિસ્તારમાં દિવસ દરમિયાન જ દીપડો આવ્યો હોવાના સમાચાર સ્થાનિકોમાં ફેલાયા હતા અને તે બાદ જાણવા મળ્યું કે દીપડાએ નીલગાયનું મારણ પણ કર્યું છે. જે બાદ આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. નીલગાયની કથિત તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહી છે પરંતુ તેની પુષ્ટિ કરી શકાઈ નથી. જોકે તંત્રએ દીપડાને પકડવા માટે ચાર પાંજરા મૂકી દીધા છે.