કર્ણાટકનાં એક વકીલે કંગના રનૌત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. કંગનાએ સિંગર રિહાનાનાં ટ્વીટનો જવાબ આપતા આંદોલન કરનાર ખેડૂતોને આવું કહ્યું હતું.
ખેડૂત આંદોલન વિરુદ્ધ કંગના સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ
રિહાનાની ટ્વીટનો જવાબ આપ્યા બાદ ઘણી આલોચના થઈ હતી
રિહાનાની ટ્વીટ બાદ ઘણાં આપત્તિજનક ટ્વીટ કર્યાં હતા
ખેડૂતો વિરોધી ટ્વીટ કરી હતી
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત જ્યારથી ટ્વીટર પર આવી છે ત્યારથી તે ચર્ચમાં રહે છે. કંગના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને હાલમાં તેણે કેન્દ્ર સરકારનાં કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો વિરુદ્ધ ઘણી ટ્વીટ કરી છે. જ્યારે ખેડૂતો વિરુદ્ધ ટ્વીટ કરી અને ટ્વીટર પર તેમને આતંકવાદી કહેવા બદલ કંગના રનૌત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
રિહાનાની ટ્વીટનો જવાબ આપ્યો હતો
ઉલ્લેખની છે કે, કંગનાએ ઈન્ટરનેશનલ સિંગર રિહાનાનાં ટ્વીટનાં જવાબમાં લખતા કહ્યું હતું કે, કોઈ આ લોકો માટે એટલે વાત નથી કરી રહ્યાં કેમકે આ ખેડૂત નહીં આતંકવાદી છે, જે ભારતને તોડવા માંગે છે જેથી ચીન આપણા કમજોર દેશ પર કબ્જો કરી શકે અને તેને ચાઈનીઝ કોલોની બનાવી શકે જેમ અમેરિકાને બનાવી દીધું છે. ચુપચાપ બેસ તું મુર્ખ, અમે લોકો તમારા જેવા મુર્ખોની જેમ અમારો દેશ નથી વેચી રહ્યાં.
No one is talking about it because they are not farmers they are terrorists who are trying to divide India, so that China can take over our vulnerable broken nation and make it a Chinese colony much like USA...
Sit down you fool, we are not selling our nation like you dummies. https://t.co/OIAD5Pa61a
કર્ણાટકનાં વકીલે નોંધાવી ફરિયાદ
કંગનાનાં આ નિવેદન પર એક વકીલે ફરિયાદ દાખલ કરી છે. એક માહિતી અનુસાર, કર્ણાટકનાં બેલગાવીનાં એક વકીલે કંગના રનૌત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે જેણે હાલમાં પોતાના ટ્વીટમાં ખેડૂતોને આતંકવાદી ઠરાવ્યા હતા.
કંગનાની ટ્વીટને ડિલીટ કરી દીધી
કંગનાનાં એ ટ્વીટ પર ઘણાં લોકોની આલોચના આવી હતી. તેમ છતાં કંગનાએ ટ્વીટ કરવાનું ચાલુ રાખ્યુ હતું, જેમાં અમુક આપત્તિજનક ટ્વીટ પણ કર્યા હતા. જેને બાદમાં ટ્વીટરે પોતાના નિયમોની વિરુદ્ધ જણાતા ડિલીટ કરી દીધા હતા. ત્યારબાદ કંગનાએ ટ્વીટરને ચીનની કઠપૂતળી બતાવી દીધું હતું અને તે વાત પર કંગનાની મજાક પણ ઉડી હતી.