સંસદીય સમિતિ સાથેની મિટિંગમાં સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે તે જરૂરી છે કે ચીન સાથેના તણાવને ઓછું કરવામાં આવે, કેમ કે ચીને મે મહિનાથી લદાખની બોર્ડર પર મોટી સંખ્યામાં તેની સેનાની તૈનાતી કરી રાખી છે. ચીની સેના આર્મ્ડ રેજિમેન્ટ્સ અને લાંબી દૂરી સુધી પ્રહાર કરી શકે તેવા હથિયારોથી લેસ છે.
સંસદીય સમિતિને ભારતીય સેના એ આપી માહિતી
બોર્ડર પર લાંબા સામે સુધી રહી શકે છે લશ્કરની તૈનાતી
સીડીએસ બિપિન રાવતની અધ્યક્ષતા વાળી કમિટીએ આપી જાણકારી
લદાખમાંથી ભારતીય સેનાની પરત ફરવાની હાલ કોઈ શક્યતાઓ જણાઈ રહી નથી.હાલ ચીન સાથે ચાલી રહેલા બોર્ડર તણાવના લીધે સીમા પર સેનાની તૈનાતી અતિ આવશ્યક બની ગઈ છે. પૂર્વી લદાખમાં ચીની સેનાની ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ અને તેની ઘસણખોરીની પ્રકૃતિ જોતાં ભારતીય સેન પોતાની જગ્યા છોડવા માટે તૈયાર નથી. સીડીએસ બિપિન રાવતના નેતૃત્વ હેઠળની સની અધિકારીઓની બનેલી કમિટીએ આ જાણકારી આપી હતી.
સંસદીય સમિતિને કહ્યું ચીની સેના સજ્જ છે લાંબી દુરીના શસ્ત્રો સાથે
સંસદીય સમિતિ સાથેની સૈન્ય અધિકારીઓની બેઠકમાં આ જાણકારી બહાર આવી હતી કે ભારતીય લશ્કર હાલમાં લદ્દાખમાંથી પોતાની ઉપસ્થિતિ ઘટાડવા માટે બિલ્કુલ પણ રાજી નથી, કેમ કે સીમા પર તૈનાત ચીની સેના આર્મ્ડ રેજિમેન્ટ્સ અને લાંબી દૂરી સુધી પ્રહાર કરી શકે તેવા શસ્ત્રોથી સજ્જ છે, આ સ્થિતિમાં સહેજ પણ ગાફેલ રહી શકાય નહીં. જો કે તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ચીન સાથે તણાવ ઘટાડવા માટે અન્ય સ્તરોએ પણ પ્રયાસ કરવા જરૂરી છે.
શું છે મામલો?
ઈસ્ટર્ન લદ્દાખમાં એપ્રિલ-મેથી ભારત અને ચીન વચ્ચેના સીમા વિવાદ ચાલુ છે. ચીની સેનાએ પહેલા પોતાના શિનઝિઆંગ પ્રાંતમાં જમાવડો વધાર્યો હતો. જો કે ત્યાર બાદ તેને ભારતીય સીમા તરફ વાળી એલ એ સી લાઇન પર તૈનાત કરી દીધા હતા. ભારતે પણ સામે વળતો પ્રહાર કરતાં હજારોની સંખ્યામાં પોતાના જવાનોની ઉપસ્થિતિ વધારી દીધી હતી. જો કે પાછળથી બંને દેશો વચ્ચે ઘણા રાઉન્ડની વાતચીત થઈ હતી જેમાં સેનાને પાછળ ખસેડવા સહમતી સધાઈ હતી પરંતુ એ દિશામાં હજી સુધી કોઈ નક્કર પ્રગતિ થઈ શકી નથી.
ચીની સેના ઘૂસી આવે છે ભારતીય વિસ્તારમાં
ચીની આર્મી ભારતની ફિંગર એરીયામાં ડટી આવી છે. એલએસીની આસપાસ અને અન્ય ઘણા વિસ્તારોમાં બંને દેશો વચ્ચે તણાવ ચાલુ રહે છે. ગત 15 જુનની રાત્રે બંને દેશોની સેના વચ્ચે ગલવાનમાં લોહિયાળ સંઘર્ષ પણ થયો હતો જેમાં ભારતના પક્ષે 20 બહાદુર જવાનોની શહાદત થઈ હતી અને ચીનના 40 થી વધુ સૈનિકો માર્યા ગયાની ખબર હતી, પરંતુ ઓફીશિયલી કશું સ્વીકાર્યું નહોતું અને હજી સુધી તણાવ ચાલુ જ છે.