ચૂંટણી પહેલા પક્ષોમાં મોટી સંખ્યામાં તડજોડની રાજનીતિ કરતાં હોય છે. કોઈ ભાજપ છોડી કોંગ્રેસમાં જાય છે તો કોઈ કોંગ્રસ છોડી ભાજપનો કેસરીયો કરે છે. ત્યારે ગીર સોમનાથના બાદલપરા ગામ ખાતે કોંગ્રેસ દ્વારા સ્નેહમિલન અને સત્કાર સમારોહ યોજાયો જેમાં અનેક ગામોના ભાજપના કાર્યકરો કોંગ્રેસમા જોડાયા છે.
ભાજપના ગ્રામ્ય લેવલના કાર્યકરોએ કોંગ્રસનો હાથ પકડ્યો
એક સમય હતો કે કોંગ્રેસ છોડી કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાતા હતા પરંતુ ગીરના સુત્રાપાડામા ઉલટી ગંગા વહી હોઈ તેમ લાગી રહ્યું છે. વેરાવલના બાદલપરા ગામ ખાતે કોંગ્રેસ અને તાલાલા ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા સ્નેહ મિલન અને સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુત્રાપાડા તાલુકાના અનેક ગામોના સરપંચોના સત્કાર કરવામાં આવ્યા હતા પણ નવાઈની વાત એ છે કે અસંખ્ય ભાજપના ગ્રામ્ય લેવલના કાર્યકરો આજે કોંગ્રેસમા જોડાયા હતા.
ખેડૂતોની જમીન બચાવાનો પ્રયાસ કે રાજનીતિ ચમકાવાનો?
તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે ગીર સોમનાથમાં આકાર પામી રહેલ કોમર્શિયલ રેલવે લાઇનને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું કે સરકાર ધારે તો અનેક ખેડૂતો જમીન વિહોણા થતા અટકાવી શકે છે..ગીરમાંથી પસાર થતી મીટર ગેજ અને બ્રોડગેજ રૂપાંતરિત કરવામાં આવે તો ખેડૂતોની જમીન બચી જાય.એટલું જ નહી રેલવે લાઇનનો વિરોધ કરી રહેલા અનેક ગામોના સરપંચો અને લોકો દિલ્લી સુધી રજુઆત કરવાના છે