જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન અને ચીન પોતાની અવળચંડાઈમાંથી ઉપર નથી આવતું. પાકિસ્તાને ફરિ નાપાક હરકત કરી છે. તેણે જમ્મુ કાશ્મીરમાં ફરી સિઝફાયરનું ઉલંઘન કર્યુ છે.
પાકિસ્તાનના અંધાધૂંધ ફાયરિંગમાં 4 જવાન શહીદ
સોમવારે રાજૌરી જિલ્લામાં LoC પર થયું હતું ફાયરિંગ
રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરીને પાકિસ્તાન કરે છે ફાયરિંગ
1 ઓક્ટોબરે પાકિસ્તાને કૃષ્ણા ઘાટી, કુપવાડામાં કર્યું હતું ફાયરિંગ
જમ્મૂ-કશ્મીરમાં પાકિસ્તાન તરફથી સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. જમ્મૂ-કશ્મીરના રાજૌરીમાં પાકિસ્તાનના ફાયરિંગમાં સેનાના બે જવાન શહીદ થયા છે. તો છેલ્લા 5 દિવસમાં સેનાના 4 જવાન શહીદ થયા છે.
એક ઓક્ટોબરે પાકિસ્તાને પૂંછ જિલ્લાની કૃષ્ણા ઘાટી અને કુપવાડા જિલ્લાના નૌગામ સેક્ટરમાં ફાયરિંગ કર્યું હતું. જેમાં 3 જવાનો શહીદ થયા હતા. પાકિસ્તાન રહેણાંક વિસ્તારોને પણ ટાર્ગેટ કરીને ફાયરિંગ કરી રહ્યું છે. જેનો ભારતીય જવાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. બીજી તરફ સેનાએ લોકોને ઘરની બહાર ન નીકળવા પણ અપીલ કરી છે.
આ ઉપરાંત નૌગામ સેક્ટરમાં પણ પાકિસ્તાને ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં નૌગામમાં 3 અને સોમવારે તેણે રાજૌરી જિલ્લામાં LoC પર ફાયરિંગ કર્યુ હતું જેમાં 2 જવાન શહીદ થયા છે. પાકિસ્તાનના અંધાધૂંધ ફાયરિંગમાં 4 જવાન શહીદ થયા છે.