ઉત્તરપ્રદેશના સરહાનપુરમાં એક પત્રકારની હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમા કાર ઓવરટેક કરવા જેવી બાબતે પત્રકારની હત્યા કરી દેવામાં આવી. જોકે આરોપીઓને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યા છે.
યુપીના સરહાનપુરમાં સ્થાનીક પત્રકારની હત્યા
કાર ઓવરટેક મામલે પત્રકારની હત્યા કરી
ગણતરીના સમયમાં આરોપીઓ પોલીસના સકંજામાં
ઉત્તરપ્રદેશના સહરાનપુરમાં એક સ્થાનીક પત્રકાર સુધીર સૈનની હત્યાનો મામલો સામે આવ્યો છે. જેમના કારણે ખળભળાટ મચી ઉઠ્યો છે. બાઈક સાઈડમાં લગાવાને લઈને પહેલા બોલાચાલી થઈ હતી આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપવ ધારણ કર્યુ અને મારામારી થઈ જેમા પત્રકારનું મોત થઈ ગયું.
Jahangir and Farman were immediately arrested by Saharanpur police in case involving death of Mr Sudhir Saini (Shah times) due to road rage incident. We will ensure that they are convicted in a fast tracked manner. pic.twitter.com/5AvsJTRFAV
ઘટનાની જાણ થતાજ પોલીસ સ્થળ પર પહોચી હતી. પોલીસે પત્રકારના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે. સાથેજ હત્યાને અંજમા આપનારા બે આરોપીઓને પણ જેલભેગા કરી દીધા છે. જેમને તેમની કરતૂતને કારણે જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.
પાઈપના ફટકા મારી આપ્યો હત્યાને અંજામ
બનાવની જો વિગતવાર વાત કકરીએ તો ચિલકાના રોડ પર પત્રકાર સુઘીર સૈની તેમની બાઈક પર સહરાનપુર આવી રહ્યા હતા તે સમયે તેમની સાથે ત્રણ યુવકો હતા અને તેમની સાથે ઓવરટેક કરવાને લઈને બોલાચાલી થઈ અને બાદમાં કારમાં સવાર યુવકોએ તેમને પાઈપના ફટકા માર્યા હતા. જેમા સુધીર સૈનીને ઘણી ઈજા પહોચી હતી.
પત્રકારનું ઘટના સ્થળેજ મોત
ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા પત્રકારનું ઘટના સ્થળેજ મોત થયું હતું. આ મામલે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ આરંભી અને હત્યાને અંજામ આપનારા આરોપીઓને ગણતરીના સમયમાં જેલભેગા કરી દીધા હતા. પોલીસે હત્યારાઓની કારના નંબરને આધારે તેમની તપાસ આરંભી અને જેવી તેમની કાર પોલીસને દેખાઈ તો તેમણે કાર રોકી અને તેમની ધરપકડ કરી હતી.
પોલીસે હત્યારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ઉલ્લેખનીય છે પોલીસે આ મામલે પત્રકારના મૃતદેહનું પંચનામું કરી તેને પીએમ અર્થે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના કહેવા પ્રમાણે તેમણે હત્યારાઓને ઝડપી પાડ્યા છે અને તેમને જેલભેગા પણ કરી દીધા છે. સાથેજ પોલીસે એવું પણ કહ્યું કે હત્યારાઓ સામે ફાસ્ટ ટ્રેક આધાર પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.