હજારીબાગ ગિરીડીહ અને બોકારોના 85 ગામોના ખેડૂતો હવે સિંચાઈ માટે ભગવાન ભરોસે રહેશે નહીં. હવે દરેક ખેતર સુધી પાણી પહોંચશે. કોનાર સિંચાઈ યોજના જે છેલ્લા 42 વર્ષથી અટકી હતી તે હવે રઘુવર સરકારના પ્રયાસોથી જમીન પર ઉતરી રહી છે. 103 કીમી નહેરનું નિર્માણ કાર્ય પૂરું થઈ ચૂક્યું છે. જે હાલ સુધી થયું ન હતું તે રઘુવર સરકારે કર્યું. દરેક અશક્ય વાતને શક્ય બનાવી છે. આવું પહેલી વાર થયું છે. આ લાઈન્સ છે ઝારખંડ સરકારની જાહેરાતની.
એક નહેર જે ચાર દાયકા પહેલાં બની જવી જોઈતી હતી તે હવે બની છે. આવું કદાચ આવું પહેલી વાર બન્યું છે. ફક્ત 12 કરોડમાં બનનારી આ નહેરને બનવામાં 42 વર્ષ લાગ્યા. 2000 કરોડ રૂપિયાથી વધારેની કિંમતમાં આ નહેર બની. જેને કોનાર સિંચાઈ પરિયોજનાથી ઓળખવામાં આવે છે. ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસે 28 ઓગસ્ટે તેનું ઉદ્ધાટન કર્યું. તે કોનાર નહેરનો બંધ 29 ઓગસ્ટે જ તૂટી ગયો. ઉદ્ધાટનના લગભગ 13 કલાકમાં જ. નહેરનો 100 ફીટ જેટલો ભાગ તૂટ્યા બાદ 6 ગામોની 100 એકરમાં ફેલાયેલી ખેતી ધોવાઈ ગઈ. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યું છે. સરકાર આ બાબતની તપાસ કરી રહી છે.
આ ઘટના બાદ વિપક્ષે રધુવર સરકાર પર આક્ષેપો શરૂ કર્યા છે. ઝારખંડના મુક્તિ મોર્ચાના કેન્દ્રીય મહાસચિવ સપ્રિયો ભટ્ટાચાર્યએ કહેયું કે સરકારે 42 વર્ષથી બંધ પડેલા પ્રોજેક્ટને શરૂ કરીને પોતાની પીઠ થપથપાવી હતી. પ્રોજેક્ટની કિંમત 2200 કરોડ રૂપિયા છે. જે 22 કલાકથી પણ ઓછા સમયમાં વહી ગયો.
1978ની વાત છે, જ્યારે ઝારખંડ બન્યુ પણ ન હતું. બિહારના તત્કાલિન ગર્વનર જગન્નાથ કૌશલે આ પરિયોજનાની શરૂઆત કરી. પરંતુ સરકારની ઉદાસીનતાના કારણે તેમાં મોડું થતું રહ્યું. 1978માં તેની કિંમત 12 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. જે 2019માં વધીને 2000 કરોડની થઈ હતી. 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અર્જુન મુંડાએ ફરી નહેરની આધારશિલા રાખી. કોનાર પ્રોજેક્ટ અનેક વર્ષથી ઠંડો પડ્યો હતો જે 2014થી શરૂ થયો.
નહેરનું કામ 44 ટકા પૂરું થયું હતું. પરંતુ ઉદ્ધાટન કરવા માટે તેને ઝડપથી પૂરો કરવામાં આવ્યા હતો. અધિકારીઓનું કહેવું છે કે આ પ્રોજેત્ટને 2021માં પૂરો કરવાનું લક્ષ્ય હતું. ઝારખંડમાં ઓક્ટોબર- નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. સરકારે વિકાસના કામ દેખાડવા તેને પહેલાં જ ઉદ્ધાટન કરી દીધું હતું.