એક તરફ સમગ્ર ભારત દેશ પવિત્ર ઈદની ઉજવણી કરી રહ્યો છે પણ સરહદ પારથી પાકિસ્તાને ઈદની પણ પવિત્રતા જાળવી નથી. ઈદના દિવસે સવારે સરહદી ગામડાઓમાં લોકો ઈદની તૈયારી કરી રહ્યા હતા બરાબર એ જ સમયે આઠ વાગ્યા આસપાસ પાકિસ્તાને પોતાની નાપાક ઈરાદાઓને અંજામ આપવાનું શરૂ કરી દીધું હતુ.
પાકિસ્તાનની સેનાએ સવાર સવારમાં જ નૌશૈરાના લામ સેક્ટરમાં ગોળીબારી શરૂ કરી દીધી આ ગોળીબારીમાં સેનાના જવાન વિકાસ ગુંડન ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. જેમને ઈલાજ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં પહોચતા પહેલા શહીદ થઈ ગયા હતા.
આ ઉપરાંત BSFના જવાનોએ પાકિસ્તાની રેંજર્સને મીઠાઈ વહેંચી ન હતી. બીજી બાજુ બીએસએફએ જમ્મૂ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં કાર્યવાહી હાથ ધરતા બે શંકાસ્પદ પાકિસ્તાનીઓની ધરપકડ કરી છે. જેમાંથી એકની ઉંમર 22 વર્ષ અને બીજાની 31 વર્ષ છે.
આ ઉપરાંત ઈદની નમાઝ બાદ કાશ્મીરમાં સુરક્ષાબળોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં પણ નમાઝ બાદ સુરક્ષાબળોએ ભારે પથ્થરમારો કર્યો હતો.
પથ્થરબાજોએ સુરક્ષાબળો પર પથ્થર ફેંક્યા અને આતંકી સંગઠન આઈએસઆઈએસ અને પાકિસ્તાનના ઝંડા લહેરાવ્યા. બેકાબુ ભીડને નિયંત્રીય કરવા માટે સુરક્ષાબળોએ અશ્રુગેસના સેલ પણ છોડ્યાં.
ભલે કેટલાક અધિકારીઓ એવું માની રહ્યાં હોય કે સંઘર્ષ વિરામ રોકી દેવાના કારણે છેલ્લા 4 સપ્તાહમાં પથ્થરબાજીની ઘટનાઓ ઘટી હોય પરંતુ છેલ્લા કેટલાક દિવસ દરમિયાન સુરક્ષાબળો પર પથ્થરબાજીની ઘટનાઓ વધી છે.
બીજી બાજુ પાકિસ્તાને જમ્મૂ-કાશ્મીર સરહદે ફરી એકવાર સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન કર્યું છે. નૌશેરમાં નિયંત્રણ રેખા નજીક પાકિસ્તાને આજે કરેલા ગોળીબારમાં ભારતીન સેનાનો એક જવાબ શહીદ થયો છે.
જ્યારે બીજી તરફ અરનિયા સેક્ટરમાં શનિવારે સવારે ચાર વાગ્યે ઈદના તહેવારે પાકિસ્તાન તરફથી નાપાક હરકત કરવામાં આવી છે. બીએસએફએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન તરફથી થઈ રહેલા સતત સંઘર્ષ વિરામના ઉલ્લંઘનની અસર ઈદના તહેવારી વાઘા બોર્ડર પર પણ જોવા મળી.