બીજી તરફ મોડાસાના ડુઘરવાડા પાસે પણ જંગલમાં એકા એક આગ ફાટી નીકળતાં ભારે અફરા તફરી મચી જવા પામી હતી. આ ઘટના બાદ આસ-પાસના ખેડૂતો દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતાં. બીજી બાજુ આગ લાગવની જાણ વન વિભાગને કરતાં વન વિભાગની ટીમ હરકતમાં આવી ગઈ હતી. અને આગ બૂઝાવવાના પ્રયાસોમાં લાગી ગઈ હતી.
અરવલ્લીના માલપુરના ડુંગર પર લાગી ભીષણ આગ
અરવલ્લીના માલપુરના ડુંગર પર શુક્રવારે અચનાક જ આગ લાગી હતી. જેને લઈને આસ-પાસના વિસ્તારોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. બીજી તરફ આ ઘટના દરમિયાન ગરમ અને સૂકા પવનોની ગતિ વધતાં આગની જાળ વધુ વિકરાળ થવા પામી હતી. મહત્વનું છે કે, આગને કાબૂ લેવા માટે સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી હતી. જો કે, આ સમગ્ર મામલે વન વિભાગના કર્મીઓ નિષ્ક્રીય રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. બીજી તરફ આ આગા કયા કારણો સર લાગી તેનું કારણ હજી સુધી અકબંધ રહેવા પામ્યું છે.
ગત રોજ વિજયનગરના જોડના જંગલમાં નર્સરી પણ ચાનક આગ લાગી હતી
ઉલ્લેખનીય છીએ કે ગત રોજ વિજયનગરની સીમમાં આવેલ જોડના જંગલમાં નર્સરી પાછળ અચાનક જ લાગી હતી.જેમાં પવન ફૂંકાતા આગની જાળ વિસ્તરતા અને વિજયનગરના ગદૈયા વિસ્તારના રહેણાંક વિસ્તાર સુધી આવી ગઈ હતી. બીજી તરફ વન વિભાગ અને સ્થાનિકોની મદદ છતાં આગ કાબૂ માં ન આવતાં ઈડર ફાયરબ્રિગેડની ટીમે આગ કાબૂમાં લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાચીન કાળ થી વિજયનગર તાલુકામાં ડુંગરો નવડાવવાની પ્રથાના કારણે જંગલમાં દવ લાગતા આવ્યા છે. જેમાં વનરાજીને વ્યાપક નુકસાન થાય છે.