શહેરનાં બાપુનગર વિસ્તારમાં એક ઘરઘાટી મહિલા પર ભાજપ યુવા મોરચાનાં કાર્યકર યુવકે બળાત્કાર ગુજારતાં ચકચાર મચી ગઈ છે. યુવકનાં માતા પિતા ઘરે નહીં હોવાનો લાભ લઈને મહિલા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. બે મહિના પહેલાં ઘટેલી આ ઘટનામાં મહિલાએ તેના અંધ પતિને વાત કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
એકલતાનો લાભ ઉઠાવી ઘરઘાટી પર બળાત્કાર ગુજાર્યો
બળાત્કારીની ધરપકડ કરવામાં આવી
ભાજપનાં કાર્યકર્તા સામે ફરિયાદ નોંધાયા બાદ ધરપકડ
ભાજપનાં કાર્યકર્તાએ બળાત્કાર ગુજાર્યો
બાપુનગર પોલીસ સ્ટેશનમાં એક આંખથી અંધ મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ભાજપના યુવામોરચાના કાર્યકર અંકુર ઉર્ફે જોજી શર્મા વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ કરી છે. મહિલાના પતિ બંને આંખથી અંધ છે અને ગુજરાન ચલાવવા માટે તેને અલગ અલગ ઘરોમાં કચરા પોતું કરવાં પડે છે.
એકલતાનો લાભ ઉઠાવી ઘરઘાટી પર બળાત્કાર ગુજાર્યો
મહિલા છેલ્લા ઘણા સમયથી અંકુરના ઘરે પણ કચરા પોતું કરવા માટે જતી હતી. બે મહિના પહેલાં અંકુરનાં માતા પિતા ઘરે હતાં નહીં ત્યારે મહિલા કચરા પોતું કરતી હતી. તે સમયે તકનો લાભ લઈને અંકુરે તેની સાથે જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યાં હતાં.
બળાત્કારીની ધરપકડ કરવામાં આવી
પોતાનું પરિવાર બગડે નહીં તે માટે મહિલાએ તેના પતિ અને સાસુ સસરાને અંકુરે ગુજારેલા બળાત્કારની વાત કરી નહીં. જોકે બે મહિનાથી ગુમસુમ રહેતી મહિલાએ અંતે ગઈ કાલે હિંમત કરીને પતિને હકીકત જણાવી દીધી હતી. હકીકત જાણતાંની સાથે જ અંધ પતિએ પત્નીનો સાથ આપ્યો હતો અને સીધા પોલીસ કંટ્રોલમાં ફોન કરીને પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસ દંપતીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં અંકુર વિરુદ્ધમાં ફરિયાદ નોંધી હતી અને ગણતરીની સમયમાં તેની ધરપકડ કરી લીધી હતી.