ઉત્તર પૂર્વ દિલ્હી સળગી રહ્યું હતું અને હિન્દુ પરિવારે મુસ્લિમ પ્રભાવવાળા વિસ્તારમાં તેમની પુત્રીના લગ્નને રદ કરવાની ફરજ પડી હતી. પરંતુ એક દિવસ પછી, મુસ્લિમ પડોશીઓ એકઠા થયા અને કરાવ્યા લગ્ન.
હિંસાની વચ્ચે એકજૂથ થયા મુસ્લિમ પાડોશીઓ, કરાવ્યા હિન્દૂ પુત્રીના લગ્ન
દિલ્હીની હિંસામાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં વધીને 38 થઈ ગયો છે
ભોદય પ્રસાદ: મુસ્લિમ પડોશીઓ અમારું કુટુંબ છે
ઉત્તર પૂર્વ દિલ્હી સળગી રહ્યું હતું ત્યારે હિન્દુ પરિવારે મુસ્લિમ પ્રભાવિત વિસ્તારમાં તેમની પુત્રીના લગ્નને રદ કરવાની ફરજ પડી ગઈ. હાથમાં મહેંદી પહેરેલી સાવિત્રી પ્રસાદે મંગળવારના દિવસે હિંસા ભડકવવાથી રડવાનું શરૂ કર્યું હતું. સાવિત્રી કહે છે કે તેના લગ્નની તારીખ 25 ફેબ્રુઆરી મંગળવાર હતી. પરંતુ હિંસાના કારણે તેના પિતાએ એક દિવસ પછી લગ્નનું આયોજન કર્યું હતું. સાવિત્રી પ્રસાદના પિતા કહે છે કે, ફક્ત તેના મુસ્લિમ પડોશીઓ જ તેના પરિવારનો સાથે આપે છે અને તેઓની હાજરીથી શાંતી અનુભવે છે. સાવિત્રી પ્રસાદ કહે છે, 'મારા મુસ્લિમ ભાઈઓએ આજે મને બચાવી.' એમ કહીને સાવિત્રી પ્રસાદ ફરી રડવા લાગી અને કહ્યું કે પરિવાર અને મુસ્લિમ પડોશીઓના કારણે તે શાંતિ અનુભવે છે.
સમાચાર એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર ચાંદ બાગ વિસ્તારની સાંકડી ગલીમાં સાવિત્રી પ્રસાદનું એક નાનકડું મકાન છે, જ્યાં તેના લગ્નની વિધિ પૂર્ણ થઈ હતી. સાવિત્રીના ઘરથી થોડે દૂર મુખ્ય રસ્તો છે, જે યુદ્ધના મેદાન તરીકે જોવામાં આવી રહ્યો હતો ત્યાં દુકાનો અને કારને આગ ચાંપી દેવામાં આવી હતી. વિનાશના પુરાવા રસ્તા પર દેખાતા હતા. દિલ્હીની હિંસામાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં વધીને 38 થઈ ગયો છે. સાવિત્રીના પિતા ભોદય પ્રસાદ કહે છે, "અમે ટેરેસ પર ગયા અને જોયું કે આજુબાજુ ફક્ત ધૂમાળો જ દેખાઈ રહ્યો હતો." આ દ્રશ્ય સોમવાર અને મંગળવાર બે દિવસ રહ્યો હતો. તેમણે કહ્યું કે, "આ ભયંકર છે. અમને ફક્ત શાંતિ જોઈએ છે." ભોદયા પ્રસાદે કહ્યું કે તેઓ વર્ષોથી આ વિસ્તારમાં મુસ્લિમો સાથે કોઈ સમસ્યા વિના રહ્યા છે.
ભોદયા પ્રસાદે કહ્યું,"હિંસા પાછળ કોનો હાથ છે તે અમે જાણતા નથી, પરંતુ તેઓ મારા પાડોશી નથી. અહીં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે કોઈ દુશ્મની નથી." 24 ફેબ્રુઆરી સોમવારે હલ્દીની વિધિ હતી અને તે જ દિવસે સાવિત્રીએ મેંદી હાથ પર કરી હતી. પરંતુ તે જ દિવસે આ વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. સાવિત્રીએ કહ્યું, "તે દિવસે ઘરની બહાર ઘણી ધમાલ થઈ રહી હતી, અને મેં મેંદી લગાવી દીધી હતી, અમને આશા હતી કે બીજા દિવસે સંજોગો સુધારવા લાગશે." પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નહી. તે પછી, તેના પિતાએ વરરાજાને કહ્યું કે આવા સંજોગોમાં સરઘસ સાથે તેના ઘરે આવવાનું જોખમી છે. સાવિત્રીની પાડોશી સમિના બેગમ કહે છે, "અમેં દુ:ખી છીએ કે જે દિવસે સાવિત્રી સુખી રહેવા માંગતી હતી તે દિવસે છોકરી રડી રહી હતી."
બુધવારે હિંસા ઓછી થઈ, પરંતુ બજારો બંધ રહ્યા હતા અને લોકોએ ઘરોમાં રહેવાનું વધુ યોગ્ય લાગ્યું. સાવિત્રીના પિતાએ કહ્યું કે તેમણે મોટા લગ્ન સમારોહનું આયોજન કર્યું નથી. લગ્ન માટે તૈયાર રહેલી સાવિત્રીની બેન પૂજાએ કહ્યું કે, "હિન્દુઓ કે મુસ્લિમો, આપણે બધા માણસો છીએ અને આપણે બધા હિંસાથી ગભરાઈએ છીએ." તેણે કહ્યું, "આ લડાઇ ધર્મની નથી" મુસ્લિમ પડોશીઓ લગ્ન માટે સાવિત્રીના ઘરે ભેગા થયા હતા. વરરાજા પહોંચતાની સાથે જ મુસ્લિમ પડોશીઓ આશીર્વાદ આપવા માટે ભેગા થયા હતા અને લગ્નની વિધિઓ થઈ હતી. ઘરની બહાર અન્ય મહેમાનો સાથે હાજર આમિર મલિકે કહ્યું કે, અમે અમારા હિન્દુ ભાઈઓ સાથે શાંતિથી રહીએ છીએ, અમે તેમના માટે બધું જ છીએ, એટલે જ અમે અહીં છીએ.
ભોદય પ્રસાદ કહે છે, "આજે, અમારું કોઈ સબંધી મારી પુત્રીના લગ્નમાં ભાગ લઈ શક્યો નથી, પરંતુ અમારા મુસ્લિમ પડોશીઓ અહીં છે. તેઓ અમારું કુટુંબ છે."