16 વર્ષીય વિદ્યાર્થિનીના માતાનો આરોપ છે કે શિક્ષક નિમેષ પટેલે વિદ્યાર્થિનીને ફસાવી અને તેનું અપહરણ કરી તેનું શારીરિક શોષણ કર્યું છે.
નરાધમ શિક્ષક પોલીસ સકંજામાં
16 વર્ષીય વિદ્યાર્થિનીનું કર્યું શોષણ
વિદ્યાર્થિનીને ભગાડી ગયો હતો શિક્ષક
કહેવાય છે કે કિશોરાવસ્થામાં માતા પિતા પછી ગુરુ તરીકેની ભૂમિકા શિક્ષકને માનવામાં આવે છે. વિદ્યાર્થીકાળ દરમિયાન વિદ્યાર્થીના જીવનમૂલ્યોનું ઘડતર અને જ્ઞાનનો સંચાર શિક્ષક દ્વારા જ થતા હોય છે જેને લઈને જ સમાજમાં પણ શિક્ષકની પ્રતિભા એક આદર્શ અને સન્માનીય વ્યક્તિ તરીકે થાય છે .પરંતુ પંચમહાલમાં શિક્ષણ જગતને શર્મશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંની ધોરણ 12માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાને હાઈસ્કૂલના જ શિક્ષક દ્વારા શારીરિક શોષણ અને લગ્નના ઈરાદે અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ થતાં ચકચાર મચી છે.
44 વર્ષનો શિક્ષક 16 વર્ષની વિદ્યાર્થીનીને ભગાડી ગયો
પંચમહાલમાં શિક્ષણ આલમને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે.શહેરા પંથકની એક હાઇસ્કૂલમાં ફરજ બજાવતો પરણિત અને અંદાજિત 44 વર્ષની વય ધરાવતો શિક્ષક પોતાની પુત્રી સમાન 16 વર્ષીય સગીરવય વિધાર્થીનીને શારીરિક શોષણ અને લગ્નના ઈરાદે ભગાડી ગયો હોવાની ફરિયાદ ખુદ સગીરાની માતાએ શહેરા પોલીસ મથકે નોંધાવતા ચકચાર મચી ગઇ છે. પોલીસે અપહરણ,પોકસો અને એક્ટ્રોસિટી એકતની કલમ મુજબ ફરિયાદ નોંધી ટીમની રચના કરી કથિત આરોપી શિક્ષકની ધરપકડ કરી છે કોણ છે શિક્ષક એ જુઓ આ એક અહેવાલ માં ..
ફરિયાદમાં શો ઉલ્લેખ?
જેમાં કરાયેલા ઉલ્લેખ મુજબ ત્રણ માસ અગાઉ પોતાની સગીરવયની દીકરીના મોબાઈલમાં કેટલાક મેસેજ જોઈ તેની માતા અચરજ પામી ગઈ હતી અને આ મેસેજ હાઈસ્કૂલના શિક્ષક નિમેષ મોતીભાઈ પટેલ મૂળ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના મલેકપુર ગામનો વતની અને હાલ ગોધરાના રહે તેના હતા. જે બાબતે સગીરાની માતાએ પોતાની પુત્રી તેમજ શિક્ષક નિમેશને ટકોર કરી હતી જેને લઈ થોડા દિવસ બધું સમુ સુતરૂ ચાલવા લાગ્યું હતું .પરંતુ અન્ય વિદ્યાર્થીઓ થકી જાણવા મળ્યું કે શિક્ષક નિમેષ હજી પણ પોતાની સગીરા પુત્રી સાથે સંબંધો ચાલુ જ રાખ્યા હતા.
શિક્ષક નિમેષ પર શંકા જતા તેના ઘરે તપાસ કરી તો...
બીજી તરફ ગત 11મી સપ્ટેમ્બર ના રોજ સગીરાની માતા તેમજ ઘરના અન્ય સભ્યો રાત્રિનો નિત્યક્રમ પતાવી સુઈ ગયા હતા અને ત્યારબાદ મળસ્કે સગીરાની માતાએ પથારીમાં જોતા તેઓની પુત્રી જોવા મળી ન હતી જેથી પોતાના પતિને જાણ કરી હતી.ત્યારબાદ તેઓ એ ગામમાં આજુબાજુ તપાસ કરાવી હતી પણ તેઓની પુત્રીની કોઈ ભાળ મળી ન હતી. સગીરાની માતાને શિક્ષક નિમેષ પર શંકા જતા તેના ગોધરા સ્થિત મકાને તપાસ કરતા નિમેષની પત્નીએ તેઓ રાત્રે કોઈ કામ અર્થે બહાર ગયા હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ હાઈસ્કૂલમાં તપાસ કરતા આજે ફરજ પર ન આવ્યા હોવાનું જાણવા મળતા તેઓની શંકા હકીકત હોવાની શક્યતા પ્રબળ બની હતી.
શારીરિક શોષણની ફરિયાદ નોંધાવી
પોતાની દીકરીની અન્ય સગા સબંધીમાં પણ સગીરાની માતાએ તપાસ કરતા તે મળી આવી ન હતી.બીજી તરફ શિક્ષક નિમેષ નો મોબાઈલ પર સંપર્ક કરવા નો પ્રયત્ન કરતા બંધ આવ્યો હતો જેથી સગીરાની માતાએ શહેરા પોલીસ મથકે આવી શિક્ષક નિમેષ મોતીભાઈ પટેલ વિરુદ્ધ પોતાની સગીરવયની પુત્રીને પોતાના વાલીપણામાંથી ભગાડી જઈ શારીરિક શોષણ અને લગ્નના ઈરાદે અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે
આરોપીની રાયપુરથી કરાઇ ધરપકડ
પોલીસે આઈ.પી.સી ની કલમ 363,366 પોકસો 12 તથા એક્ટ્રોસિટી એકટની કલમ 3 (2),(5-અ) મુજબનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં શિક્ષકનું ગોધરા ખાતેનું મકાન બંધ જોવા મળ્યું હતું પોલીસે અલગ અલગ ટિમો બનાવી હતી ત્યારે પોલીસે છત્તીસગઢના રાયપુરથી ધરપકડ કરી તેની પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે