આજે અમે તમને કેટલીક એવી સમસ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો નોંધપાત્ર રીતે વધી જાય છે.
આજના સમયમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘણું વધી ગયું છે
શરીરમાં થતાં ફેરફારો અને લક્ષણો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ
આ સમસ્યાઓને કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો નોંધપાત્ર રીતે વધી જાય
આજના સમયમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ખૂબ સામાન્ય બની ગયું છે. એવા ઘણા કારણો છે જેના લીધે હાર્ટ એટેક અને સ્ટ્રોકનાં જોખમમાં નોંધપાત્ર રીતે વધારો થઇ શકે છે. અમે તમને કેટલીક એવી સમસ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે હાર્ટ એટેકને વધારવામાં અસરકારક બને છે. માટે જરૂરી છે કે તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને કોઈપણ સમસ્યાને નાની સમજવાની ભૂલ ન કરો.
હાલનાં સમયમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘણું વધી ગયું છે. મોટા ભાગે તણાવ, ખોરાકમાં અનિયમિતતા, બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી, ઊંઘનો અભાવ, દારૂ અને સિગારેટનું વધુ પડતું સેવનને જવાબદાર માનવામાં આવે છે. હાર્ટ એટેક અને સ્ટ્રોકના જોખમને ટાળવા માટે, તમારે શરીરમાં થતાં ફેરફારો અને લક્ષણો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. આજે અમે તમને કેટલીક એવી સમસ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો નોંધપાત્ર રીતે વધી જાય છે. આવી સ્થિતિમાં તમારે સાવધાન રહેવું જરૂરી છે. ચાલો જાણીએ તેવી સમસ્યાઓ વિશે જેની આપણે અવગણના કરતા હોઇએ છીએ. જો આ સમસ્યાઓ વધી જાય તો હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ પ્રમાણમાં વધી શકે છે.
કોલેસ્ટ્રોલ
કોલેસ્ટ્રોલ એ આપણા શરીરમાં રહેલ મીણ જેવો પદાર્થ છે જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે, ત્યારે તે ધમનીઓને બ્લોક કરી દે છે જેના કારણે યોગ્ય માત્રામાં લોહી હૃદય સુધી પહોંચતું નથી અને તેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. આવી સ્થિતિમાં, તમારે ભોજનમાં વધુ ફાઇબર અને ઓછી ચરબીવાળા ખોરાકનો સમાવેશ કરવો અને દરરોજ કસરત કરવી જોઇએ.
ડાયાબિટીસ:
આપણું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં ન રહેતા તે આપણાં હૃદયને નુકશાન પહોંચાડી શકે છે. એવામાં જરૂરી છે કે આપણે હેલ્થી ખોરાક લઈએ અને સમય સમય પર આપણું બ્લડ શુગર લેવલ ચેક કરવતા રહીએ.
હાયપરટેન્શન:
હાર્ટ અટેક માટે બીજું મહત્વનું કારણ કહી શકાય હાઈપરટેન્શન. જેમાં વધારે પ્રમાણમાં ટેન્શન લેવાથી તમારું બ્લડ પ્રેશર લેવલ ખૂબ ઊંચું થઈ જાય છે, ત્યારે તમારા હૃદયને વધુ કામ કરવું પડે છે. આવી સ્થિતિમાં, તમારે તમારા બ્લડ પ્રેશરના લેવલને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. તમારે લો-સોડિયમ અને ઓછી ચરબીવાળો ખોરાક ખાવો, કસરત અને યોગાસનથી તમે બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રણમાં રાખી શકો છો. આ સાથે મહત્વનું છે કે તમે આલ્કોહોલનું સેવન ઓછું કરો અને તણાવમુક્ત રહો. તમારા શરીરનું વજન ન વધે તેની કાળજી રાખો.
સ્થૂળતા:
સ્થૂળતા એટલે કે જાડાપણું જેના કારણે તમારું કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશરનું સ્તર ઘણું વધી જાય છે માટે હાર્ટ એટેકનો ખતરો રહે છે. આવી સ્થિતિમાં, તમારે સ્વસ્થ વજન જાળવી રાખવું જરૂરી છે. આ માટે સંતુલિત આહાર લો અને શારીરિક પ્રવૃત્તિઓ કરતા રહો.
ધૂમ્રપાન:
ધુમ્રપાન કરતાં લોકોમાં હાર્ટ એટેકનો ખતરો ખૂબ જ વધી જાય છે. ઘણા રિસર્ચ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ધૂમ્રપાન કરનારા લોકોમાં હાર્ટ એટેકનું જોખમ 2 થી 4 ગણું વધારે હોય છે. ધૂમ્રપાન કરવાથી હૃદય સુધી પહોંચતા ઓક્સિજનની માત્રામાં ઘટાડો થાય છે, બ્લડ પ્રેશર વધે છે, રક્તવાહિનીઓને નુકસાન થાય છે અને લોહી જામી જવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે.
એક્સરસાઈઝ :
વ્યાયામ કે કોઈપણ શારીરિક પ્રવૃત્તિઓ કરવામાં આવે તો હૃદય સંબંધિત બીમારીઓથી દૂર રહી શકાય છે. દરરોજ કસરત કરવાથી કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ ઓછું થાય છે. શારીરિક પ્રવૃત્તિઓ કરીને પણ તમે મેદસ્વીતા,ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલથી છુટકારો મેળવી શકો છો. કસરત કરવાથી શરીરમાં બ્લડ પ્રેશરનું સ્તર પણ ઘટે છે. એવું માનવામાં આવે છે કે પુખ્ત વયના લોકોએ દરરોજ 75 મિનિટ સુધી કસરત કરવી જોઈએ.