મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ડ્રામામાં ફ્લોર ટેસ્ટ મામલે હજુ પણ ચિત્ર સ્પષ્ટ નથી થયું. હજું મધ્ય પ્રદેશમાં ફ્લોર ટેસ્ટ થશે કે કેમ તે હજુ સ્પષ્ટ થઈ શક્યુ. કેમ કે કમલનાથે ફ્લોર ટેસ્ટની વાત નકારી કાઢી છે. હજુ સુધી બળવાખોરોના રાજીનામાં સ્વીકારવમાં આવ્યા નથી.
ફ્લોર ટેસ્ટ કરવા માટે રાજ્યપાલે કરી હતી તાકીદ
ફ્લોર ટેસ્ટ માટે શિવરાજસિંહે કરી હતી સુપ્રીમ કોર્ટમાં અરજી
મધ્યપ્રદેશમાં ચાલી રહેલા ડ્રામા વચ્ચે ફ્લોર ટેસ્ટ મામલે પણ અસમંજસની સ્થિતિ ઉભી થઇ છે. રાજ્યપાલ લાલજી ટંડને મુખ્યમંત્રી કમલનાથને પત્ર લખી ફ્લોર ટેસ્ટ કરાવવા માટે તાકીદ કરી હતી.જેથી કમલનાથે સોમવારે રાજ્યપાલ સાથે બેઠક કરી હતી.
બેઠક બાદ કમલનાથે ફ્લોર ટેસ્ટની બાબતને નકારી હતી અને દાવો કર્યો કે બળવાખોર 16 ધારાસભ્યોના રાજીનામા હજી સ્વીકારાયા નથી. છતાં પણ જેણે શંકા હોય તે અવિશ્વાસની દરખાસ્ત લાવી શકે છે.
સુપ્રીમ કોર્ટમાં અરજી કરી તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી
વધુમાં કમલનાથે કહ્યું કે આજે પણ અમારી પાસે ધારાસભ્યોની બહુમતી છે. એટલે અમારી કોઇ ફ્લોર ટેસ્ટની જરૂર નથી. છતાં જેને શંકા હોય તે અવિશ્વાસની દરખાસ્ત લાવી શકે છે. તો બીજી તરફ મધ્યપ્રદેશ વિભાનસભામાં ફ્લોર ટેસ્ટ અંગે આજે સુપ્રીમકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટની બે જજની બેંચ ફ્લોર ટેસ્ટ અંગે પોતાનો નિર્ણય સંભળાવશે.મહત્વનું છે કે ભાજપના પ્રતિનિધિ તરીકે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ફ્લોર ટેસ્ટ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી.