ફરી એકવાર ધર્મને નામે ધંધો કરતા આશ્રમો અને અંધ ભક્તો તરફ રેડએલર્ટ સમાન કિસ્સો સામે આવ્યો છે. પરિવારના ચાર બાળકો આશ્રમે બાનમાં લીધા છે જેમાંથી 3 બાળકો તો પરિવારને પાછા મળ્યા પણ બાળકમાંથી યુવાન થઈ ગયેલી યુવતીને સ્વામી નિત્યાનંદ વિદેશ ભગાડી ગયા હોવાના આક્ષેપને પગલે ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર ઘટના અમદાવાદના હાથીજણમાં આવેલા સ્વામી નિત્યાનંદના યોગીની આશ્રમની છે. પરિવાર સતત એવા આક્ષેપ કરી રહ્યો છે કે આશ્રમમાં કંઈક ભેદી પ્રવૃત્તિઓ થઈ રહી છે અને અમારા જ નહીં બીજા બાળકો પણ જોખમમાં છે. તેમને મદદની જરૂર છે.
ઘટના અંગે CM રૂપાણીને પણ જાણ કરાઈ
15 દિવસ પહેલા પોલીસે એક દીકરી અને દીકરો છોડાવી આપ્યા
વિવેકાનંદનગર પોલીસે CID સેલને જાણ કરી
અમદાવાદનાં હાથીજણમાં આવેલા યોગીની આશ્રમમાં બાળકોને બાનમાં લેવાયા હોવાના પરિવારોના આક્ષેપો સાથે જ પોલીસ, CWCના મેજિસ્ટ્રર આશ્રમ પહોંચ્યા હતા. જેમાં એક દીકરો અને દીકરી છોડાવવામાં તો સફળતા મળી પણ એક પુખ્ત વયની દીકરી અચાનક ગાયબ થઈ ગઈ છે અને તેનો કોઈ અતોપતો નથી.
ઘટના અંગે CM રૂપાણીને પણ જાણ કરાઈ
નિત્યાનંદ આશ્રમમાંથી યુવતી ગુમ થવાને મામલામાં CM રૂપાણીએ પણ સમગ્ર મામલાની જાણકારી લીધી છે. મહિલા-બાળ કલ્યાણ વિકાસ વિભાગે CMને જાણ કરી છે. ઘટના મુદ્દે CM વિજય રૂપાણીને માહિતી અપાઇ. મહિલા-બાળ કલ્યાણ વિકાસ વિભાગે તપાસના આદેશ આપ્યા છે. ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને તાત્કાલિક રિપોર્ટ સોંપવા આદેશ આપવામાં આવ્યા છે. યુવતીના પરિવારે યુવતી ગુમ થવાનો આરોપ કર્યો છે પરિવારે આશ્રમમાં બાળકોને ગોંધી રાખવાનો પણ આરોપ છે.
વિવેકાનંદનગર પોલીસે CID સેલને જાણ કરી
નિત્યાનંદ આશ્રમમાંથી યુવતી ગુમ થવાનો મામલે વિવેકાનંદનગર પોલીસે CID સેલને જાણ કરી છે. યુવતી આશ્રમમાં ન મળતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
21 વર્ષની અને 18 વર્ષની દીકરી અમદાવાદ આશ્રમમાં
નિત્યાનંદના અમદાવાદના આશ્રમમાંથી એક પરિવારના ચાર બાળકો જેમાં 3 દીકરી અને 1 દીકરો છેલ્લા છ મહિનાથી ગોંધી રખાયા હતા જેમાંથી ચાઈલ્ડ વેલફેર અને પોલીસની મદદથી પરિવારે સગીર ઉમંરનો દીકરો અને દીકરી છોડાવ્યા પણ 18 વર્ષની અને 21 વર્ષની દીકરીને છોડાવવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમની સાથે ફેસબુક માધ્યમથી વાત કરાવી દેવાઈ હતી. પણ પછીથી દીકરીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેની સાથે શારીરિક અડપલા થઈ રહ્યા હોવાનુ તે કહી રહી હતી. હવે એ દીકરી ગુમ થઈ જતા સમગ્ર તંત્ર દોડતુ થઈ ગયુ છે.
શું કહે છે પોલીસ?
નિત્યાનંદ આશ્રમમાંથી યુવતી ગુમ મામલે અમદાવાદ ગ્રામ્ય DySP સમીર સારડાએ નિવેદન આપ્યું છે.અમદાવાદ ગ્રામ્ય DySPએ કહ્યું કે તમિલનાડુના જનાર્દન શર્માની આશ્રમ વિરુદ્ધ ફરિયાદ મળી હતી. અને આશ્રમ સામે ચાઇલ્ડ વેલ્ફેર કમિટીએ અરજી આપી હતી. જેને લઇ તપાસ કરવામાં આવી. આશ્રમની અંદર 3 બાળકો હતા એક દીકરી જે 19 વર્ષની છે જેનું નિવેદન લેવાયું છે. અને 2 સગીર બાળકો હતા જેમને તેમના માતા-પિતા સાથે મોકલાયા છે. પોલીસના કહેવા મુજબ આશ્રમમાં કોઇ ગેરરીતિ સામે નથી આવી. અને સ્વામી નિત્યાનંદ સામે પણ કોઇ અરજી નથી મળી. અને 40 બાળકોને ગોંધી રખાયા હોય તેવું પણ કંઇ સામે નથી આવ્યું.
યોગીની સર્વાગ્ય પીઠમ કે આશ્રમ!
અમદાવાદનાં હાથીજણમાં આવેલા એક આશ્રમમાં યુવતીને ગોંધી રાખી હોવાનો પરિવારના આક્ષેપ સાથે જ પરિવાર અને પોલીસ સાથે ચાઈલ્ડ વેલફેરના અધિકારીઓ હાથીજણના હીરાપુર ખાતેની યોગીની સર્વાગ્ય પીઠમ નામની સંસ્થામાં પહોંચ્યા હતા.
પરિવારનો આક્ષેપ આ આશ્રમ સ્વામી નિત્યાનંદનો છે
જો કે પરિવાર જે આક્ષેપો કરી રહ્યું છે તે સ્વામી નિત્યાનંદનો આશ્રમ હોવાનું સામે આવ્યું છે. પોતાની પુત્રી અંદર મળી ન આવતા હાલ તો પરિવાર પોલીસની મદદ માટે વલખા મારી રહી છે. પરિવાર સતત એવા આક્ષેપ કર્યો રહ્યો છે કે આશ્રમમાં કંઈક ભેદી પ્રવૃત્તિઓ થઈ રહી છે અને અમારા જ નહીં બીજા બાળકો પણ જોખમમાં છે. તેમને મદદની જરૂર છે.
શું છે ઘટના?
2013 થી એક દીકરો અને 3 દીકરીઓ સાથે પરિવાર બેંગ્લોર સ્થિત આશ્રમમાં કામ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન ચારેય બાળકો પૈકી એક પુત્રીને સ્વામી નિત્યાનંદ વિદેશ લઇ ગયો હોવાનો પણ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
15 દિવસ પહેલા પોલીસે એક દીકરી અને દીકરો છોડાવી આપ્યા
એક દીકરો અને બે દીકરીની શોધમાં પરિવાર અમદાવાદ આવ્યો હતો. જેમાં 15 દિવસ પહેલા આશ્રમ માંથી જ એક દીકરો અને એક દીકરી નાબાલિક હોવાથી પોલીસે આશ્રમ માંથી છોડાવી પરિવારને પરત કર્યા હતા.
પુખ્ત વયની દીકરી પરિવાર સાથે ન આવી
જો.કે તે સમયે અન્ય એક યુવતી પુખ્તવયની જે પરિવાર સાથે રહેવા તૈયાર ન થઈ હતી. જેથી તે આશ્રમમાં જ રહી હતી. પરંતુ શુક્રવારે મોડી રાત્રે પરિવાર દ્વારા ચાઇલ્ડ વેલફેરમાં અરજી કરવામાં આવી હતી.
ચાઈલ્ડ વેલફેરની હાજરીમાં પણ યુવતીને ન મળવા દેવાઈ
ચાઇલ્ડ વેલફેર ઓફીસરની હાજરીમાં આશ્રમે જવા છતા તેમને મળવા દેવાયા નહોતા. ત્યાર બાદ ચાઇલ્ડ વેલફેર ઓફીસરે સ્થાનિક પોલીસને બોલાવી હતી.
પોલીસ તપાસ બાદ પણ યુવતી આશ્રમમાંથી ગાયબ
પોલીસની મધ્યસ્થતા બાદ પરિવારને અને ઓફીસરને આશ્રમમાં પ્રવેશવા દેવામાં આવ્યા હતા. હાલ પોલીસ ઉપરાંત ચાઇલ્ડ વેલફેર ઓફીસર અને યુવતીનો પરિવાર અંદર ગયો હતો. જેમાં પોલીસ દ્વારા અંદર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જો.કે અંદરથી યુવતી મળી નથી આવી ત્યારે મહત્વનો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે કે હાલ યુવતી છે ક્યાં.