મેયર પદ માટે SC અનામત સીટ છે ત્યારે ભાજપ ગાંધીનગર મેયર માટે અમદાવાદની થીયરી અપનાવી શકે છે
ગાંધીનગર મેયર પદ માટે મળશે સામાન્ય સભા
મેયર પદ માટે SC અનામત સીટ
મેયર માટે હિતેશ મકવાણા, ભરત દિક્ષિત છે દાવેદાર
ગાંધીનગર મનપામાં ભાજપને હાથે જતાંની સાથે જ હવે મનપાની કમાન ભાજપ કોને સોંપશે તેણે લઈને ચર્ચાઑએ જોર પકડયું છે. આજે ગાંધીનગર મનપાની સામાન્ય સભા મળવાની છે જેમાં મેયરના નામની જાહેરાત થશે.જણાવી દઈએ કે મેયર પદ માટે SC અનામત સીટ છે. ત્યારે ભાજપના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગાંધીનગર મનપામાં મેયર તરીકે હાલ બે ચહેરાને જોવાઈ રહ્યા છે અને તે છે હિતેશ મકવાણા અને ભરત દિક્ષિત
બે નામો હાલ ચર્ચામાં
હવે ગાંધીનગરના મેયર પદના નામોની મોટી ચર્ચા થઈ રહી છે. સી આર પાટીલ આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધી ગત મહાનગરપાલિકા અને પંચાયતના પ્રમુખના નામો ચોંકાવનારા હતા. અચાનક જ સામાન્ય કાર્યકર્તાઑને પણ મેયર પદે બેસાડી દેવામાં આવ્યા હતા જેમાં અમદાવાદના મેયર કિરીટ પરમારનું નામ લઈ શકાય, પણ રાજનીતિમાં કઈ અચાનક નથી હોતું બધાય સમજી વિચારીને નિર્ણય લેવામાં આવે છે. ત્યારે ગાંધીનગરના મેયરના નામ અંગે પણ ચર્ચા થઈ હોવાનું મનાઈ રહ્યું છે. જેમાં હાલ તો ગાંધીનગર મનપા વોર્ડ 8ના હિતેશ મકવાણાનું નામ આગળ ચાલી રહ્યું છે અને સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન તરીકે વોર્ડ-10માંથી જીતીને આવેલા મહેન્દ્ર પટેલ બેસાડાઈ શકે છે.હિતેશ મકવાણા પૂર્વ MLA પુનમચંદ મકવાણાના પુત્ર છે.તો બીજી તરફ ભરત દિક્ષિતની પણ પ્રબળ દાવેદાર મનાઈ રહ્યા છે. જે સામાન્ય પરિવારમાંથી આવે છે. ભાજપ ગાંધીનગર મેયર માટે અમદાવાદની થીયરી અપનાવી શકે છે.
ભાજપે 10 વર્ષમાં પહેલીવાર બહુમતી હાંસલ કરી
ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે 10 વર્ષમાં પહેલીવાર બહુમતી હાંસલ કરી છે. મનપાના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપે 41 બેઠક પર વિજય હાંસલ કર્યો છે, જ્યારે કોંગ્રેસને બે અને આપના ફાળે એક બેઠક આવી છે.ચૂંટણીમાં ભાજપને 46% મત મળ્યા જ્યારે કોંગ્રેસને 28% અને AAPને 21% મત મળ્યા છે. કોંગ્રેસ અને AAPને બન્નેના મતની ટકાવારી ભેગી થાય તો ભાજપથી વધુ મત હાંસલ કરી શકત પણ એવું બન્યું નથી, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મતોમાં મોટું ગાબડું પાડ્યુંહોવાનું રાજકીય પંડિતો માની રહ્યા છે. ત્યારે આજે મળનારી સામાન્ય બેઠકમાં મેયરના બપોર સુધીમાં જાહેરાત થઈ જશે.