બનાસકાંઠામાં ભાભરના સનેસડા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે, 10 એકરમાં તમાકુના વાવેતરમાં પાણી ઘુસી જતા ખેડૂતને મોટું નુકસાન થયું છે
ગાબડું પડવાનો સિલસિલો યથાવત્
જાનાવાડા માઇનોર કેનાલમાં ગાબડું
ખેતરોમાં ફરી વળ્યું કેનાલનું પાણી
બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના ભાભરના સનેસડા પાસેથી પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યું છે. જાનાવાડા માઇનોર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું છે. આસપાસના ખેતરોમાં કેનાલનું પાણી ફરી વળ્યું છે. ઘઉં, તમાકુ અને રાયડાના ઉભા પાકમાં ભારે નુકસાન થયું છે.
જાનાવાડા માઇનોર કેનાલમાં પડ્યું 20 ફૂટનું ગાબડું
ભાભરના સનેસડા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે. જાનાવાડા માઈનોર કેનાલમાં તંત્રના પાપે ગાબડુ પડતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. 20 ફૂટ મોટું ગાબડુ પડતા ઘઉં, તમાકું અને રાયડાના પાકમાં ભારે નુકસાન થયાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. 10 એકર તમાકુના વાવેતરમાં પાણી ઘુસી જતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે. કેનાલમાં વધુ પાણી છોડાતા કેનાલમાં ગાબડું પડ્યું છે તેમજ નબળી કામગીરીને કારણે ગાબડું પડ્યો હોવાનો ખેડૂતો આક્ષેપ પણ કરી રહ્યાં છે.
સળગતા સવાલ
ક્યાં સુધી તંત્રની બેદરકારીનો ભોગ ખેડૂતો બનશે?
ખેડૂતોને થતું નુકસાન તંત્રને ક્યારે દેખાશે?
કેમ ક્ષમતા કરતા વધુ પાણી છોડાયું?
કેમ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી નથી કરાતી?
કેનાલમાં પડતા ગાબડા તંત્રને નથી દેખાતા?
કેનાલમાં ગાબડું પાડવાથી ખેતરોને નુકસાન, જવાબદાર કોણ?
ખેતરોમાં પાકને ક્યાં સુધી થશે નુકસાન ?
શું કામ વારંવાર ખેડૂતોને થાય છે નુકસાન?
બેજવાબદાર કર્મચારીઓ પર કાર્યવાહી ક્યારે કરાશે?
યોગ્ય કામગીરી ન કરતા કોન્ટ્રેક્ટરો સામે ક્યારે કાર્યવાહી?