મધ્યપ્રદેશની કોર્ટે આજે બળાત્કારના આરોપીની આજીવન કેદની સજાને 20 વર્ષની સખ્ત કેદમાં ફેરવી હતી. જે બાબતે ખંડપીઠે નોંધ્યું હતું કે દોષિતે બળાત્કાર બાદ યુવતિની હત્યા કરી નથી. જેથી સજાને આજીવન કેદમાં ફેરવવી યોગ્ય માન્યું હતું.
મધ્યપ્રદેશની ઈન્દોર બેંચે તાજેતરમાં એક ચૂકાદો આપ્યો હતો. જેમાં તેમણે બળાત્કારની આજીવન કેદની સજાને 20 વર્ષની સખ્ત કેદમાં ફેરવી હતી. ઈન્દોર બેંચે દોષિતની આજીવન કેદની સજા આ આધાર પર ઘટાડી હતી લીધી હતી કે દોષિતે 4 વર્ષની પીડિતાની બળાત્કાર કર્યા બાદ તેની હત્યા કરી નથી. જસ્ટિસ સુબોધ અભ્યંકર અને જસ્ટિસ એસ.કે. સિંધને અપીલ કરનારને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. પરંતું તેણે તેની સજાને આજીવન કેદમાં ફેરવવી યોગ્ય માન્યું હતું.
આજીવન કેદની સજાને 20 વર્ષને સખ્ત કેદમાં ફેરવવી જોઈએ:કોર્ટ
ખંડપીઠે અવલોકન કર્યું કે આવા સંજોગોમાં ટ્રાયલ કોર્ટ દ્વારા પુરાવાની કદર કરવામાં અને અપીલકર્તાના ભયાનક કૃત્યને ધ્યાનમાં લેવા કોર્ટને કોઈ ભૂલ થતી નથી. જેમાં મહિલાની ગરિમાનું કોઈ સન્માન નથી. 4 વર્ષની બાળકી સાથે યૌન શોષણનો મામલો યોગ્ય જણાતો નથી. જેથી પહેલાથી આપેલી સજાને ઓછી કરી શકાય. તો પણ આ હકીકત પર વિચાર કરતા કોર્ટે કહ્યું હતું કે આરોપી દ્વારા પીડીતાને જીવિત છોડવામાં આવી છે. જેથી કોર્ટે આરોપીની આજીવન કેદની સજાને 20 વર્ષની સખ્ત કેદમા ફેરવવી જોઈએ.
કલમ 376(2)(એફ) હેઠળ કેસ નોંધાયો
આ કેસમાં અપીલકર્તા 4 વર્ષની બાળકી પર બળાત્કાર કરવા માટે દોષિત છે. જેથી ભારતી દંડ સંહિતીની કલમ 376(2)(એફ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. હવે આરોપીએ પોતની સજા સામે કોર્ટમાં અપીલ દાખલ કરી છે. જેની સુનાવણી કરવા મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચે આ નિર્ણય લીધો હતો.