સમાચાર એજન્સી ANIના જણાવ્યા અનુસાર 3 NDRFની ટીમો હાલ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી છે, અને રાહત અને બચાવ કામગીરી ચાલુ કરી દેવાઈ છે.
મહારાષ્ટ્રમાં થઈ મોટી દુર્ઘટના
રાયગઢમાં 5 માળની બિલ્ડિંગ તૂટી
200 જેટલા લોકો દબાય હોવાની આશંકા
3 floors of a 5-storey building collapsed in Mahad of Raigad district; over 200 people are feared trapped. 15 people have been rescued: Aditi S Tatkare, Maharashtra Minister pic.twitter.com/OWXKxfs0F2
મહારાષ્ટ્રના રાયગઢના મહાડમાં સોમવારે એક ભયાનક અકસ્માત થયો હતો. મહાડમાં એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ. આ બિલ્ડિંગના કાટમાળ નીચે 200 જેટલા લોકો ફસાયા હોવાના અહેવાલ છે. મકાન ધરાશાયી થવાના સમાચાર મળતા જ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. અધિકારીઓએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, એનડીઆરએફની 3 ટીમો સ્થળ પર રવાના કરવામાં આવી છે. સમાચાર એજન્સી ANIએ આ બાબતે ટ્વિટ કરી હતી જેમાં કહ્યું હતું કે આ કાટમાળ નીછે 200 જેટલા લોકો દબાયા હોવાની આશંકા છે. 15 લોકોને જો કે બચાવી લેવાયા છે.