બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ સંકેત આપ્યો છે કે જલ્દી ભારતમાં સ્થાનિક કક્ષાના ક્રિકેટરો માટે કરાર વ્યવસ્થા લાગૂ કરવામાં આવશે, જેનાથી એમને નાણાંકીય સુરક્ષા આપી શકાય.
ડોમેસ્ટિક ક્રિકેટરો માટે કરાર વ્યવસ્થા લાગૂ કરવામાં આવશે
મેચ ફી માં વધારો ઇચ્છે છે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી
બીસીસીઆઇના અધ્યક્ષ તરીકે ગાંગુલીએ પહેલી વખત મીડિયાને ઇન્ટરવ્યૂ આપતા કહ્યું કે સ્થાનિક ક્રિકેટરોની નાણાંકીય સ્થિતિ એમની પ્રાથમિકતા છે અને તેઓ મેચ ફી વધારવા ઇચ્છે છે.
ગાંગુલીએ કહ્યું કે દેશના શીર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની જેમ ડોમેસ્ટિક ક્રિકેટરો માટે પણ ચુકવણીનો સુવ્યવસ્થિત માળખું હોવું જોઇએ. ગાંગુલીએ કહ્યું, 'અમે સ્થાનિક ક્રિકેટરો માટે કરાર વ્યવસ્થા લઇને આવીશું, અમે નવી નાણા સમિતિને કરાર વ્યવસ્થા તૈયાર કરવા માટે કહીશું.'
હાલ સ્થાનિક ક્રિકેટરોને વર્ષના 25 થી 30 લાખ રૂપિયા મળે છે. દર પ્રથમ શ્રેણીની મેચ માટે 35000 પ્રતિદિન મળે છે. બીસીસીઆઇને પ્રસારણ અધિકારોથી મળનાર પૂરી આવકના 13 ટકા સ્થાનિક ક્રિકેટરોમાં વહેંચવામાં આવે છે.
બુધવારે દ્રવિડને મળશે ગાંગુલી
ટીમ ઇન્ડિયાનું લાંબા સમય સુધી એક સાથે પ્રતિનિધિત્વ કરનાર સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ ક્રમશ: બીસીસીાઇ અધ્યક્ષ અને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના પ્રમુખ રીતે એક સાથે કામ કરશખે. બંને દિગ્ગજ દેશમાં ક્રિકેટની જરૂરીયાતોની યાદી તૈયાર કરવાના ઉદ્દેશથી બુધવારે બેંગ્લોરમાં મુલાકાત કરશે. દ્રવિડે જુલાઇમાં એનસીએ પ્રમુખનો કાર્યભાર સંભાળ્યો હતો. એમને આ સંસ્થા માટે ભવિષ્યયની યોજનાની યાદી તૈયાર કરી રાખી છે.