મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના બની છે. મુંબઈના વિરાર વિસ્તારની હોસ્પિટલમાં આગ લાગતા 13ના મોત થયા છે. જોકે આ દુર્ઘટના અંગે તપાસ થશે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આદેશ આપ્યા છે.
વિરાર વિસ્તારની હોસ્પિટલમાં આગ
આગ લાગતા 13ના મોત થયા
એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી
મહારાષ્ટ્ર સ્થિત મુંબઈની નજીક આવેલા વિરાર વિસ્તારની હોસ્પિટલમાં આગ લાગતા 13ના મોત થયા છે. વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બની છે. મળતી માહિતી અનુસાર 13 કોરોના દર્દીના મોત થયા છે. વિરાર વેસ્ટ સ્થિત વિજય વલ્લત્ર હોસ્પિટલમાં 15 દર્દી આઈસીયુમાં દાખલ હતા. તમામ લોકોના આગના કારણે મોત થયા છે. આશંકા છે કે એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી છે. મનાઈ રહ્યુ છે કે હોસ્પિટલ બીજા માળ પર છે. સવારે 3 વાગે લગભગ આગ લાગી તે સમયે ફક્ત 2 નર્સ હાજર હતી.
Maharashtra: Fire breaks out at a COVID Center in Vasai of Palghar district. Affected patients are being shifted to nearby hospitals. Details awaited. pic.twitter.com/QfclEgBvvj
હોસ્પિટલના સીઈઓ દિલીપ શાહે કહ્યુ કે આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે. તેમણે કહ્યુ કે હોસ્પિટલમાં લગભગ 90 દર્દી છે. જે દર્દીઓને ઓક્સિજનની જરુર છે તેમને અમે બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરી રહ્યા છીએ. શાહે જણાવ્યું કે આઈસીયુમાંથી કંઈક આગ જેવુ પડ્યુ અને 1-2 મિનિટમાં આગ ફેલાઈ ગઈ. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં ફાયર સેફ્ટી છે. સીઈઓએ દાવો કર્યો કે રાતે હોસ્પિટલમાં ડોક્ટર હતા. એમ પુછવા પર કે કેટલો સ્ટાફ ડ્યુટી પર હતો શાહ બરાબર સંખ્યા કહી શક્યા નહોંતા.
આઈસીયુ ફુલ હતુ
એક ન્યૂઝ રિપોર્ટ મુજબ આગ પર કાબૂ મેળવવા 10 ફાયર વાહનો પહોંચી ગયા હતા. હોસ્પિટલમાં એક દર્દીની સાથે આવેલા એક સેવા કરનારાએ દાવો કર્યો કે એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી છે. તેમણે જણાવ્યું કે આઈસીયુમાં 15 દર્દી હતા. તેમને શંકા છે કે એ તમામનું મોત થયું છે. સેવકે જણાવ્યું કે આઈસીયુ ફુલ હતુ.