FOLLOW US
ખેડાના નડિયાદ-કપડવંજ રોડ પર રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગી હતી. સમી સાંજે લાગેલી આ આગથી અફરા -તફરી મચી ગઈ હતી.અહીની જય મહારાજ સોસાયટીના એલ્ક મકાનમાં આગ લાગતા 2 બાળકી, એક મહિલા ઈજાગ્રસ્ત થયા છે/
પતંગનું સોલ્યુશન કારણભૂત
ખેડાના નડિયાદ-કપડવંજ રોડ પર રહેણાંક મકાનમાં આવેલી જય મહારાજ સોસાયટીમાં પતંગ બનાવવાનું સોલ્યુશન દીવાના સંપર્કમાં આવતા ભીષણ આગ લાગી હતી. નડિયાદ ફાયર વિભાગને જાણ થતા, વિભાગના કર્મચારીઓ તુરંત ઘટના સ્થળે પહોચી આગને કાબૂમાં લેવા પ્રયત્ન કર્યો હતો. મહા મહેનતે આગ પર કલાકો પછી કાબુ મેળવાયો હતો